________________
જ્ઞાની ભકતની પ્રતિભા ધર્મથી અલગ) સ્થાપ્યો હતો, અને તેમ જ ખ્રિસ્તી મિશનરીઓ પણ આ સૈકામાં હિંદભરમાં (અંગ્રેજ રાજ્યની છત્રછાયામાં) તેમને ધર્મ પ્રવર્તાવવા મથતા હતા. પરિણામે, એ બધા ધર્મોમાં ચડસાઈ-સરસાઈનો સ્પર્ધાભાવ આવી જઈ, પરસ્પર-નિંદાસ્તુતિને વાદવિવાદ પણ ખૂબ જ ચાલતો હતો. થિયોસોફી, બ્રહ્મસમાજ, વેદાન્ત, સ્વામી રામકૃષ્ણને ભક્તિજ્ઞાન-માર્ગ, ઇ૦ અનેક નવ ધર્મપ્રવાહને આ લોકયુગ હતો. એ યુગમાં જ, જેમ કે, ગાંધીજી હોઈને, તેમને પણ આવી ધર્મોમાં સરસાઈની બુદ્ધિજન્ય ધર્માન્તરના વિચાર આવતા. તેમાંથી જ તેમણે કવિ રાજચંદ્રને આશરો લીધેલો; અને તે બધા મંથનકાળમાંથી પોતાના સર્વધર્મસમભાવના સિદ્ધાંતને તત્ત્વાચાર પામ્યા હતા; કે જે વસ્તુ આ કાળના જગદવ્યાપી ધર્મયુગને અંતે તેમણે જગતને આ ક્ષેત્રે ભેટ રૂપે આપી છે;– જેને પરિણામે ધર્માન્તરની આખી દુષ્ટિમાં જ ફેરફાર થયો છે: આજે એવી અમુક-તમુક-ધર્મી સાંપ્રદાયિક દૃષ્ટિ ઉદાર નથી ગણાતી; અને નાસ્તિક છતાં અમુક વિજ્ઞાનવાદી નીતિધર્મબુદ્ધિ કે વ્યાપક માનવધર્મદૃષ્ટિ રૂપે પણ એક પ્રકારની નવી તત્વનિષ્ઠા પેદા થાય છે; - જેવી તત્ત્વનિષ્ઠાનું અમુક ઢબે નિરૂપણ, દાત), ગીતાકાર, –અર્જુનના નીચેના પ્રશ્નના જવાબમાં, — અ) ૧૭માં કરે છે :
ये शास्त्रविधिमुत्सृज्य यतन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का ? (જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી, ઇસ્લામી કે હિંદુ) કોઈ ધર્મશાસ્ત્રની નિષ્ઠા હો, સાંખ્યની તત્ત્વજ્ઞાન-નિષ્ઠા હો કે કર્મયોગની ભક્ત-નિષ્ઠા હો, કે પછી સ્વતંત્ર માનવ હૃદયની (નાસ્તિકમાંય ખપે એવી) આંતરનિષ્ઠા હો, – છેવટે તે બધા ભેદો, જીવનસિદ્ધિની દૃષ્ટિએ, મૌલિક નથી; તે સાધનાભેદો જ છે; મૂળ વાત સાધના છે; અને કવિ રાજચંદ્ર એ વિષે સાવ સ્વસ્થ સંનિષ્ઠ વૃત્તિ ધરાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org