________________
મહત્વાકાંક્ષા અને ધર્મતત્વ-સમભાવ ૮૫ જરૂરી આત્મસાધના કરીને લાયકાત પ્રથમ મેળવવી જોઈએ, એમ તે સમજ્યા હતા; આ એમની વિશેષતા હતી. એનો ઉલ્લેખ કરીને તે જ વર્ષની (સં. ૧૯૬૬) શ્રીમદ-જયંતી-સભામાં સાક્ષર શ્રી. કૃષ્ણલાલ મેo ઝવેરીએ પણ (“યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ: ભવતિ' એ શ્લોક ટાંકીને વિવેચન કરતાં કહેલું જોવા મળે છે:
“જેન સંપ્રદાયનાં મૂળ તો પણ ઘણાં મંદ આચાર-વિચારોથી આચ્છાદિત થઈ ગયેલાં, તે આચ્છાદન દૂર કરી એ સંપ્રદાયનો પુનરુ
દ્ધાર કરી પાછો તેને તેની અસલ વિશુદ્ધતાએ પહોંચાડવો, એ પોતાની જિંદગીના પાછલા ભાગમાં શ્રીમાન રાજચંદ્રનો ઉચ્ચ આશય હતો. અલબત્ત, એવાં પગલાં ભરનારને મોટી મુશ્કેલી વચ્ચે કામ કરવું પડે છે. કેટલાએક સમજીને અને કેટલાએક વગર સમજે, એમ તેમના ઘણા - શત્રુઓ થવાનો સંભવ છે.......વળી જો નવો સુધારો અમલમાં આવે, તે જૂના આચારો વડે જે લોકોનું પોષણ થતું હોય, જેઓ તેને લીધે માન ખાટી જતા હોય, તેમને પણ નુકસાન થાય છે, અને તેથી તેઓ પણ કમર બાંધી એવા નવા સુધારકો સામે પડવા મંડી પડે છે. એ ભાવને ઉદેશીને જ કવિ કહે છે કે, રાજ્ય પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ ઘટે છે, તે કરતાં અપૂર્વ અભિપ્રાય સહિત ધર્મસંતતિ પ્રવર્તાવવામાં વિશેષ પરાક્રમ ઘટે છે. કેટલાક તરફથી એમ કહેવામાં આવે છે કે, કવિશ્રીને નવો ધર્મ – નવીન સંપ્રદાય પ્રવર્તાવી પોતાને તેના આચાર્ય તરીકે ગણાવું હતું........આ બાબતને તેમના લેખમાંથી બિલકુલ ટેકે મળતો નથી. ઊલટો તેમનો આદર્શ તો, મેં આગળ જણાવ્યું તે મુજબ, એ સંપ્રદાય પર જે કુચાલ વહેમ વગેરેનો પડદો પથરાઈ ગયો હતો, તે દૂર કરવાનો હતો....” (મનસુખલાલ, જયંતી વ્યાખ્યાન, પા. ૧૫૨-૩)
આ પ્રકારનું કામ જ સ્વામી દયાનંદે ૧૯મા સૈકાના પૂર્વાર્ધમાં હિંદુધર્મ અંગે કરવા આર્યસમાજ સ્થાપ્યો હતો, તેમ જ સ્વામી સહજાનંદે વૈષ્ણવ ધર્મમાં સુધારારૂપે નવો ભક્તિસંપ્રદાય (વલ્લભપંથી હવેલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org