________________
જૈનધર્મ સુધારણું રહેવાનું વન, ગમે તેટલી વિરુદ્ધતા છતાં, જે ખરું તેઓ માનતા તે કરવાની તેમની નિશ્ચિત વૃત્તિ, અને તેમને કર્તવ્ય સંબંધે ઉચ્ચ આદર્શ, – જેઓ તેમના સહવાસમાં આવતા, તેમનામાં પ્રેરણા કરી તેમની ઉન્નતિની શ્રેણી પર ચડાવતાં. તેમની બાહ્યાકૃતિ ડિમાકવાળી ન હતી, પરંતુ આંતરિક શાંતિ અને ગાંભીર્ય તે તેમનાં જ હતાં. તેમનું ધર્મો તથા તત્ત્વજ્ઞાન સંબંધી વિશાળ અને યથાસ્થિત જ્ઞાન, તેમની સમજાવવાની અદભુત શક્તિ, અને ઉપદેશ કરવાની તેમની દિવ્ય પદ્ધતિ હોવાથી, તેમના ઉપદેશો પૂર્ણ લક્ષપૂર્વક સાંભળવામાં આવતા હતા. ઉશ્કેરનાર સંજોગો હોય ત્યારે પણ તેમનો આત્મસંયમ એટલો બધો પૂર્ણ હતો, તેમની મધ્યરથ રીતે સમજાવવાની શક્તિ એટલી બધી મહાન હતી, અને તેમની હાજરી એટલી બધી પ્રેરણાત્મક હતી કે, જેઓ તેમની સાથે વાદવિવાદ કરી તેમના ઉપર જય મેળવવાની બુદ્ધિએ આવતા, તેઓ તદ્દન તેઓથી વશ થઈને તેમની આદરપૂર્વક સ્તુતિ કરતા જતા હતા.”
આ પ્રકારનું વર્ણન ગાંધીજી વિશે પણ તેમના કેટલાક મુલાકાતીઓએ કર્યું છે, એ અહીં યાદ આવે છે. અંતે શ્રી. મૈશેરી પિતાના લઘુ લેખન સમારોપ કરતાં, કવિના ધર્મસુધારણાના મનોરથ વિશે કહે છે, – જે આપણી વિચારણામાં પ્રસ્તુત છે, – તે હવે જોઈએ:
“હિંદની વર્તમાન દશા પર શ્રીમદ્ રાજચંદ્રને ખેદ થતો અને તે દૂર કરવાને હમેશાં ઇચ્છા ધરાવતા હતા. વર્તમાન સામાજિક અને રાજકીય પ્રશ્નો પરના તેમના વિચારો ઉદાર હતા. તેઓ કહેતા કે, જૈનોમાં જ્ઞાતિભેદ જેવું કાંઈ પણ હોવું જોઈએ નહિ; કારણ કે, જેટલા જૈનો છે તેમને એક જ પ્રકારનું જીવન-વર્તન રાખવાનું હોય છે. બધા સુધારકોમાં જે સુધારક પવિત્રાતમ આશયથી અને દાંભિક વૃત્તિ વગર સુધારાનું કાર્ય કર્યા જાય છે, તેમને શ્રીમદ્ ઉચ્ચતમ પંક્તિ આપતા. વર્તમાન કાળના ધર્મગુરુઓનો દોષ એ કારણથી કાઢતા હતા શા૦–૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org