________________
જ્ઞાની ભકતની પ્રતિભા હશે. હવે તે પ્રસિદ્ધ થયા છે.મ.) ગાધિરાત્રિ તથા પંડ્યાતિય અને આત્માંના વિષય પર કેટલાક નિબંધો છે.”
આમ જણાવીને તે લેખક આગળ જણાવે છે કે,
“જૈનધર્મ તથા તેના તત્વજ્ઞાનના મુખ્ય સિદ્ધાન્ત કર્મવાદ છે. કર્મવાદમાં તેમને અખંડ શ્રદ્ધા હતી. તેમને આ કર્મવાદ પર પ્રમાણે સાથે એક પુસ્તક લખવાને અને ભગવાન મહાવીરે પ્રકાશેલા સિદ્ધાંતો પર ગ્રંથમાલા લખવાને વિચાર હતો; પરંતુ દુર્ભાગ્યે લાંબી માંદગીને સબબે તેમ તેમનાથી થઈ શક્યું નહિ.
વળી તેમણે ધર્મના કેટલાક સિમ્બાને પ્રતિપાદિત કર્યા હતા. જૈન અને બૌદ્ધ સાહિત્યનું સંભાળપૂર્વક નિરીક્ષણ કર્યા પછી તેઓ એવા નિર્ણય પર આવ્યા હતા કે, મહાવીર અને બુદ્ધ બંને ભિન્ન મહાન પુરુષો હતા; તેના સિદ્ધાંતો તદ્દન જુદા હતા; અને જૈનધર્મ એ બૌદ્ધધર્મની શાખા છે, એવી યુરોપીય પંડિતેની જે માનીનતા હતી, તે બરાબર પ્રમાણ સહિત નથી. તેઓ કહેતા કે, જૈનોના બે હજાર વર્ષનાં પ્રાચીન હસ્તલિખિત પુસ્તકો પરથી સ્પષ્ટ રીતે જણાય છે કે, મહાન મહાવીર અને મહાન બુદ્ધ એ ધાર્મિક પ્રતિસ્પર્ધીઓ હતા. શ્રીમદ્ આ પણ નિશ્ચિત રૂપે પ્રતિપાદિત કરતા કે, જનની બે મુખ્ય શાખા, નામે દિગંબર અને શ્વેતાંબર, દેશની અનિયમિત સ્થિતિને લઈને જન્મ પામેલ છે.”
એમ તેમણે તેમના શાસ્ત્રાભ્યાસને આધારે મૌલિક સંશોધન રૂપે કેટલાંક નવ-વિધાને રજૂ કરેલાં, એવું નોંધીને શ્રી. મૈશેરી તેમના લેખના અંતે કહે છે :
શ્રીમદ્ રાજચંદ્ર દરેક રીતે લાક્ષણિક સિદ્ધિથી અંકિત પુરુષ હતા ...તેમની માનસિક શક્તિઓ અદભુત રીતે ચમત્કૃતિવાળી હતી; તેમ જ તેમના ચારિત્રની નૈતિક ઉન્નતિ ચકિત કરનાર હતી. સત્ય અને તેમનો આદર, વ્યાપારમાં અત્યંત ચીવટથી નૈતિક તત્ત્વોને વળગી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org