________________
જ્ઞાની ભકતની પ્રતિભા ત્યારના સંસારના સમગ્ર “મનુષ્ય-મંડળ'ને લક્ષમાં લે છે, એ તેમની પ્રતિભાને અંશ આજના યુગમાં વિશેષ આકર્ષક બને છે.'
ઉપર પ્રમાણે “સમાજની અગત્ય” નિરૂપીને, તે પછીના ૧૦૦મા શિક્ષાપાઠમાં (“મનોનિગ્રહનાં વિદનો”) કહે છે –
વારંવાર જે બંધ કરવામાં આવ્યો છે તેમાંથી મુખ્ય તાત્પર્ય નીકળે છે તે એ છે કે, આત્માને તારો અને તારવા માટે તત્ત્વજ્ઞાનનો પ્રકાશ કરો તથા સલ્ફીલને સેવો. એ પ્રાપ્ત કરવા જે જે માર્ગ દર્શાવ્યા, તે તે માર્ગ મનોનિગ્રહતાને આધીન છે. મોનિગ્રહતા થવા લક્ષની -બહોળતા કરવી યથોચિત છે.”
અને એમ જણાવી આગળ લખતાં, કવિ એ બળતામાં વિદનરૂપ દોષો તરીકે ૧૮ વસ્તુ ગણાવે છે, અને કહે છે કે, “એ દોષ જ્યાં સુધી મનથી નિકટતા ધરાવે છે, ત્યાં સુધી કોઈ પણ મનુષ્ય આત્મસાર્થક કરવાનો નથી. અતિ ભોગને સ્થળે સામાન્ય ભોગ નહીં, પણ કેવળ ભેગત્યાગવૃત જેણે ધર્યું છે, તેમ જ એ એક્કે દેશનું મૂળ જેના હૃદયમાં નથી, તે પુરુષ મહદ્ભાગી છે.” (શ્રી ૧-૧૧૬).
આ પ્રકારની “નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા” જેને ગીતાકાર કહે છે (૧૮-૫૦ થી ૫૫), તેને મળતી જૈન “નિગ્રંથ-પદ-વાચી નિષ્ઠા શ્રીમદે આ સમયે કેળવી અને તે ભાથું બાંધી તેમના બીજા ભવ'માં આગળ ચાલ્યા, – એમ તેમનાં આ કાળનાં લખાણો બતાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org