________________
જ્ઞાની ભકતની પ્રતિભા અંતરના આધારને માટેની જરૂર હોય છે, તેમાં “આ સાચું કે તે, આ આ મોટું કે તે, એવી અહમહેમિકા નથી હોતી. નહિ તે તે વસ્તુ સાધકને માટે બાધક બની જાય છે. સાધના પંડિતાઈ કે શાસ્ત્ર નથી, તે જીવનકળા છે – આપકળા છે. એ કળા રાયચંદભાઈએ પોતાને માટે જેવી યોજી, તેમાં જૈન ધર્મતત્વદર્શને અગત્યનો અગ્ર ભાગ ભજવ્યો હતો.
. એમાં એક એવો વિચાર કદાચ ઉદ્ભવે કે, જન્મે જે વૈષણવ હતા તે, આ રીતે કયાં કારણે કે સંગ-સોબતની અસરથી, જૈન તત્વ તરફ વિશેષ -વળ્યા હશે વારુ? આ અંગે તેમણે જ કહ્યું કે, “ પ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિ પુસ્તકો વાંચવા મળ્યાં....” (જુઓ પા. ૪). આવા ગ્રંથાભ્યાસ તરફ તે નાનપણમાં વળ્યા, તેમાં નિમિત્તિ તે કાળે તેમના જન્મસ્થાનમાં મળતી સોબત હશે. આ સમયે જૈન યતિ-મુનિઓના આવા સંબંધ સહેજે મળતા એમ ગાંધીજીએ એમના નાનપણનું વર્ણન કરતાં “આત્મકથામાં '(પૃ૦ ૩૫) કહ્યું છે :
વળી પિતાજી પાસે જેને ધર્માચાર્યોમાંથી કોઈ હમેશાં આવે. પિતાજી તેમને વહેરાવે પણ ખરા. તેઓ પિતાજી સાથે ધર્મની તેમ જ વ્યવહારની વાતો કરે.”
એવું કાંઈક આ સમયે વવાણિયામાં પણ ચાલતું હશે માનીએ. પરંતુ તેમાં કોઈ વ્યક્તિવિશેષની અસર હોય, તો તેવી માહિતી મળતી નથી. રાયચંદભાઈએ પોતે, પોતાના સ્વાધ્યાયબળથી – પોતાના ગ્રંથાભ્યાસમાંથી પોતાની જ્ઞાનનિષ્ઠા કેળવી હતી, એમ લાગે છે.
અને એમાંથી જ તેમનામાં જૈન ધર્મ-સમાજની સુધારણાનો મનોરથ પણ કેળવાયો. જેમ કે, જો કે, મોક્ષમાળામાં “પંચમકાળનું સ્વરૂપ વર્ણવીને કહે છે, “(ત) જાણીને વિવેકી પુરુષો તત્ત્વને ગ્રહણ કરશે.”(શ્રી ૧૧૦૪) અને તેમ પિતે કરે છે: પરિણામે “તત્ત્વાવબોધ'નો પોતાનો નિર્ણય (“મોક્ષમાળાના શિક્ષાપાઠ ૮૨ થી ૯૮ માં, શ્રી.૧-૧૦૪થી ૧૧૪) લખે છે; અને એ લંબાણનિરૂપણને અંતે “શિક્ષાપાઠ ૯૯ - સમાજની અગત્યવર્ણવતાં લખે છે, કે જે ખાસ જેવા યોગ્ય છે:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org