________________
છે
જ્ઞાની ભલાની પ્રતિભા પિતાને લાભ આપનારને પિતાના લાભ માટે જ નુકસાની. આવે પ્રસંગે હરકોઈ વ્યવહાર-કુશળ માણસ શી રીતે વર્તશે? સોદો કેન્સલ થઈ શકે તેમ નથી; આરબ ગૃહસ્થ પણ માલ આપી દેવા તૈયાર છે; તૈયાર ન હોય તે કોર્ટનાં બારણાં તે માલ આપવાને ખુલ્લાં છે.
પણ આ સાચા ત્યાગી મહાત્માએ શો જવાબ આપ્યો? આટલે જ કે, “શેઠ, માલ આપને છે; મેં હજી પૈસા ભર્યા નથી, માલ આપના જ હવાલામાં છે. તમે તો મને લાભ આપવાને મારા પરના પ્રેમને લીધે આ માલ આપવો ધાર્યો હતે; પરંતુ આપના ઘરમાં ખાડો પાડી હું લાભ લેવાની ઇચ્છા કરું એ કેમ બને? તમારા ગજવા પર કાતર મૂકી હું મારું ગજવું તર કરું કે?' ઘણી ખુશીથી તેણે જ સહી સિક્કાવાળો કાગળ ફાડી નાંખ્યો!
“સોદો રાજી ખુશીથી કેન્સલ કરી ૩૦ હજારની રકમ પરથી પિતાને હાથ ઉઠાવી લીધેલો જોઈ આરબ ગૃહસ્થ તે ચકિત જ થઈ ગયો, અને તેના હૃદયમાં અતિ માનભરી લાગણી ઉત્પન્ન થઈ. તેણે અરબસ્તાન પોતાના આડતિયા સાથે સંદેશા ચલાવી અને તે સઘળો માલ એકાદ રૂપિયો વધારે ભાવ લઈ શ્રીમાનને જ આપ્યો. ને તે બજારમાં દોઢાં કરતાં વધારે ભાવથી વેચાયો. આથી શ્રીમાનને તો જે લાભ મળવાનો હતો, તેથી ઘણો મોટો લાભ મળી ગયો.”
આ કિસ્સે કાંઈક લંબાણે મેં અહીં ઉતાર્યો છે. તે તેમના ભાઈની સંપાદિત ચોપડી “રાજયંતી વ્યાખ્યાન”માંથી રા. જીવાભાઈ અમીચંદના વ્યાખ્યાન (પાન ૧૧૯) માંથી છે. એ વર્ણવીને તે ભાઈએ આગળ કહ્યું છે કે, “આ તે એક જ દૃષ્ટાન આપ્યું. પણ તેમની તમામ ઇહલૌકિક ને પારઊંકિક પ્રવૃત્તિમાં આવી ત્યાગવૃત્તિ પ્રબળપણે પ્રવર્તતી હતી.”
આને ત્યાગવૃત્તિ કહેવા કરતાં વ્યવહારમાં પ્રામાણિકતા કે ઈમાનદારી કહેવી જોઈએ. વેપારીમાં “શાઇલૉક-વૃત્તિ નિંદ્ય જ નહીં,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org