________________
“સરથમવાર્યા” મરહૂમ મિત્ર ત્રિવનદાસ ભાણજી, કે જે તેના અંગત પરિચિત હતા, તેઓ એક વાત એમ જણાવતા કે, એક વખત એક મોતીના વ્યાપારી આરબ ગૃહસ્થ શ્રીમાનને બોલાવ્યા. તેઓ તેમની (ત્રિભોવનદાસની) સાથે ત્યાં ગયા. ત્યારે મજકુર આરબ ગૃહસ્થ તેમને મેતીને કેટલાક જથો બતાવ્યો. આ મોતી અરબસ્તાનના એક વ્યાપારીનાં હતાં, અને તેની બજારમાં સારી કિંમત ઊપજી શકે તેમ હતું. આરબ ગૃહસ્થને શ્રીમાન તરફ માનભર્યો પ્યાર હતા. તેમણે તેમને મોતી ખરીદવાનો આગ્રહ કીધે, ને તેથી સારો લાભ થશે જ એવી વકી બતાવી. શ્રીમદે મોતી જોયાં અને ભાવને આંકડો નક્કી કરવાનું આરબ ગૃહસ્થ ઉપર જ છોડ્યું. તે ગૃહસ્થના ધ્યાનમાં, આ મોતી પિતાનાં નથી તેથી તેનો ભાવ અમુક રકમ સુધી જ લેવાનો છે, તે રહ્યું નહિ; અને તેમણે ચોકસ રૂા. એક ચવનો ભાવ માંડ્યો. અંતે સહીસિક્કો કરી સોદો નક્કી કીધે. રસ્તામાં પાછા વળતાં શ્રીમદે તેમને (ત્રિીને) કહ્યું કે, આ વ્યાપારમાં આપણને સારો ફાયદો થશે; કેમ કે, બજારમાં નહીં ઊપજે તોય તેને સવાયા સુધી ભાવ ઊપજશે, અને તેથી એકંદરે આપણને રૂા. ૨૫ થી ૩૦ હજાર મળશે.
“શ્રીમાનના ગયા પછી મજકુર આરબ ગૃહસ્થ પોતાના મોટા ભાઈને આ સેદાની તમામ વાત કરી. મોટા ભાઈને તે માલના તમામ વહીવટની ખબર હતી કે, આ માલ અરબસ્તાનના પોતાના એક આડતિયાનો છે. આથી તેણે તેને ઠપકો આપ્યો. સોદો નક્કી થઈ ગયા હતા, એટલે તેનાથી તો કાંઈ બોલાય તેમ નહોતું. બીજે દિવસે તે વ્યાપારીએ શ્રીમાનને બેલાવ્યા ને અસ્પષ્ટ રૂપમાં આ વાતને ઈશારો કર્યો. શ્રીમાન તરત જ સમજી ગયા કે, મારા પરના ભાવને લીધે તેમણે મને ખટવવા યત્ન કીધો, પણ પોતે જ પોતાની વિસ્મૃતિને લીધે ફસાઈ પડયા છે, ને સોદો કેન્સલ કરવાનું કહી શકતા નથી, પણ તેમની વૃત્તિ તેમ જણાય છે. એક બાજુથી ૩૦ હજારની થેલી ને તે પણ વ્યવહારની વાજબી રીતે પ્રાપ્ત થયેલી, ને બીજી બાજુથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org