________________
- સાની મન . તે દરદ વાતનું નથી, કફનું નથી, કે પિત્તનું નથી, તે શરીરનું નથી, વચનનું નથી કે મનનું નથી. ગણો તે બધાય છે અને ન ગણે તે એકકેનું નથી. પરંતુ મારી વિજ્ઞાપના તે નહિ ગણવા માટે છે, કારણ, એમાં કોઈ એર મર્મ રહ્યો છે.” . અને આ મર્મ બીજો કાંઈ નહિ, પણ તેમનામાં બ્રહ્મજિજ્ઞાસા જાગી: તેમની અધ્યાત્મ-જાગૃતિ તે હતી: પૂર્વજન્મની અધૂરી અધ્યાત્મયાત્રાને તૂટેલો તાર સહેજે સંધાઈ જઈને આત્મોદયને સૂર્ય વિશેષ કળાએ તપવાને માટે ચડતો થતા હતા અને આ સ્થિતિનું સચોટ સુંદર વર્ણન, ઊંડા અનુભવથી નીતરતી સરળ વાણીમાં, તેમણે સદરહુ ધમાં આગળ લખતાં નીચેના શબ્દોમાં આપ્યું છે:
“તમે જરૂર માનજો કે, હું વિના-દિવાનાપણે આ કલમ ચલાવું છું. રાજચંદ્ર નામથી ઓળખાત, વવાણિયા નામના નાના ગામનો, લક્ષ્મીમાં સાધારણ એવો, પણ આર્ય તરીકે ઓળખાતા દશા શ્રીમાળી વૈશ્યનો પુત્ર ગણાઉં છું. આ દેહમાં મુખ્યત્વે બે ભવ કર્યા છે.” – એમ જણાવી એક સંસારી જીવનના સામાન્ય ભવને ‘અમુખ્ય” કહે છે અને અસામાન્ય એવા સાધક જીવનને ઉદય તે મુખ્ય ભવ મનાવે છે; અને તે બે ભવોનું વર્ણન કરતાં આગળ કહે છે :
“અમુખ્ય હિસાબ નથી. નાનપણની નાની સમજણમાં કોણ જાણે ક્યાંથી મોટી કલ્પનાઓ આવતી.” (આ ઉતારો આગળ આપ્યો છે, ત્યાં જુઓ પા. ૧૧.).
આ બેહિસાબ કલ્પનાઓને ઘ એટલે જ કાણસાપ- જીવોને જન્મથી લાગેલો સ્વભાવસિદ્ધ કામ-શ. અને ઉપરની તેમની નોંધમાં કવિશ્રી સાફ જણાવે છે કે, “સુખે રહેવું અને સંસાર ભગવો એ જ કતકયતા છે. એમાંથી બીજી પંચાતમાં નહીં પડતાં, ધર્મની વાસનાઓ કાઢી નાંખી. કોઈ ધર્મ માટે જૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહીં.” ટૂંકમાં, સમજો કે, હૃદયમાં સાંપરાય-શ્રદ્ધાને ઉથ થતાં પહેલાંની સંસારભોગની પાર્થિવ દૃષ્ટિ એ હતી : એક પ્રકારની પરમ નાસ્તિકતા કે જડવાદ જેવો ભાવ એ હતો,
અજ્ઞાનના અંધકારની આ વૈતરી, નચિકેતા પેઠે, મરણને સન્મુખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org