________________
. જ્ઞાની ભક્તની પ્રતિભા લગ્ન પૂર્વેને આ પત્ર, ગૃહસ્થજીવનમાં પ્રવેશકાળની તેમની મન:સ્થિતિ બતાવે છે. તે પછી તેમના આ વર્ષનાં જે લખાણ સંઘરાયાં છે, તે લગ્ન બાદના સમયનાં છે. તેમાં બેએક બાબતો, કવિની, આ સમયની સાધના કેવી હતી, તે બતાવતી હોઈને નેધપાત્ર છે:
અષાઢ વદ ૩, બુધ, સં. ૧૯૪૪, વવાણિયાથી પત્ર છે, તેમાં તે લખે છે કે, “આ એક અદ્ભુત વાત છે કે, ડાબી આંખમાંથી, ચાર પાંચ દિવસ થયાં, એક નાના ચક્ર જેવો વીજળી સમાન ઝબકારો થયા કરે છે, જે આંખથી જરા દૂર જઈ ઓલવાય છે. લગભગ પાંચ મિનિટ થાય છે કે દેખાવ દે છે. મારી દૃષ્ટિમાં વારંવાર તે જોવામાં આશ્ચર્ય ઉપજાવે છે. એ ખાતે કોઈ પ્રકારની ભ્રમણા નથી, નિમિત્તા કારણ કઈ જણાતું નથી. બહુ આશ્ચર્ય ઉપજાવે છે. આંખે બીજી કોઈ પણ પ્રકારની અસર નથી. પ્રકાશ અને દિવ્યતા વિશેષ રહે છે. ચારેક દિવસ પહેલાં, બપોરના ૨-૨૦ મિનિટે, એક આશ્ચર્યભૂત સ્વપ્ન પ્રાપ્ત થઈ ગયા પછી, આ થયું હોય એમ જણાય છે. અંત:કરણમાં બહુ પ્રકાશ રહે છે, શક્તિ બહુ તેજ મારે છે. ધ્યાન સમાધિસ્થ રહે છે. કારણ કંઈ સમજાતું નથી. આ વાત ગુપ્ત રાખવા જ દર્શાવી જઉં છું, વિશેષ એ સંબંધી હવે પછી લખીશ.” (શ્રી. ૧- ૧૯૦)
વવાણિયાથી, તે પછીના બીજા એક પત્ર (શ્રાવણ વદ ૧, સેમ, સં. ૧૯૪૪) માંનું એક વાકય સંઘરાયેલું મળે છે, “વામનેત્ર સંબંધી ચમત્કારથી આત્મશક્તિમાં અલ્પ ફેરફાર થયો છે.”
તે પછીના ત્યાંથી જ બીજા પત્રમાં (શ્રાવણ વદ ૦)), સં. ૧૯૪૪) આ સમયની પોતાની દિનચર્યા (કોકને પત્રમાં) લખી છે. તેમાં કહે છે:–
તે ઉપાય એછી છે, એ આનંદજનક છે. ધર્મકરણીને કંઈ વખત મળત હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org