________________
“પરેરાએ સત્યમ વિભૂતયઃ” અંધા, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે, જેથી તેની દરકાર નથી.”(શ્રી. ૧-૧૮૯).
આ પત્ર કવિએ, લગ્ન-જીવનમાં પ્રવેશ કરવા પૂર્વે, મુંબઈથી જેતપર શ્રી. ચત્રભુજ બેચરને (પોષ વદી ૧૦ રોજ) લખ્યો હતો. તેમાં ત્યારની એમના આત્મમંથનની કાંઈક ઝાંખી જોઈ શકાય. આ સમયનો એ એક જ પત્ર સંઘરાયેલે તેમના ગ્રંથમાં મળે છે, તે પત્રમાં આગળ તે આમ લખે છે:– * “ આપણે અન્યોન્ય સંબંધ છે તે કંઈ સગપણનો નથી, પરંતુ હૃદય-સગપણનો છે. પરસ્પર લેહચુંબકને ગુણ પ્રાપ્ત થયો છે. એમ દશિત છે છતાં, હું વળી એથી પણ ભિન્ન રૂપે આપને હૃદયરૂપ કરવા માગું છે. જે વિચારો સઘળી સગપણતા દૂર કરી, સંસારયોજના દૂર કરી, તત્ત્વવિજ્ઞાન રૂપે મારે દર્શાવવાના છે અને આપે જાતે અનુકરણ કરવાના છે. આટલી પલ્લવી બહુ સુખપ્રદ છતાં માર્મિક રૂપે આત્મકવરૂપ-વિચારથી અહીં આગળ લખી જાઉં છું.
તેઓ શુભ પ્રસંગમાં સવિવેકી નીવડી, રૂઢિથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબ રૂપે સ્નેહ બંધાય એવી સુંદર યોજના તેઓનાં હૃદયમાં છે કે? આપ ઉતારશે કે? કોઈ ઉતારશે કે? – એ ખ્યાલ પુનઃ પુન: હૃદયમાં પર્યટન કરે છે.. ' ' “નિદાન. સાધારણ વિવેકી જે વિચારને આકાશી ગણે તેવા વિચારે, જે વસ્તુ અને જે પદ આજ રાજ્યશ્રી ચક્રવર્તિની વિકટોરિયાને દૂર્વાભ – કેવળ અસંભવિત છે – તે વિચારો તે વસ્તુ અને તે પદ ભણી કેવળ ઇચ્છા હોવાથી ઉપર જણાવ્યું તેથી કંઈ પણ લેશ પ્રતિકૂળ બને તે તે પદાભિલાષી પુરુષના ચારિત્રને પરમ ઝાંખપ લાગે એમ છે. આ સઘળા હવાઈ (અત્યારે લાગતા) વિચારો માત્ર આપને દર્શાવું છું. અંત:કરણ શુકલ અદ્ભુત-વિચારોથી ભરપૂર છે. પરંતુ આપ ત્યાં રહ્યા ને હું અહીં રહ્યો!” (શ્રી. ૧- ૧૮૯૧૯૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org