________________
1. પરિશિષ્ટ-૨ " એ જ લક્ષણને લઈને ગાંધીજી ખાસ એમના તરફ આકર્ષાયા હતા; અને એ પ્રકારનું એમણે (તેમની “આત્મસ્થામાં) લખ્યું પણ છે. જેમ કે, તેમણે કહ્યું,
પોતે હજારોના વેપાર, ખેડતા, હીરામોતીની પારખ કરતા, વેપારના કેયડા ઉકેલતા; પણ એ વસ્તુ તેમને વિષય નહતી. તેમને વિષય – તેમને પુરુષાર્થ તો આત્મ-એળખ – હરિદર્શન હતે....”
જે મનુષ્ય લાખના સેદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય, તેની જાત વેપારીની નહિ પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમને આવી જાતનો અનુભવ મને એક વેળા નહિ, અનેક વેળા થયેલો. મેં એમને કદી મૂછિત દશામાં નથી જોયા.”
ગીતાની ધર્મ-પરિભાષામાં કહું તે, કવિશ્રી જન્મથી આર્ત-જિજ્ઞાસુ, ભક્ત હતા, અને કુમારાવસ્થા પૂરી કરતાં જ્ઞાની ભક્તની કોટિએ પહોંચ્યા. હતા. પિતાની “૧૮ વર્ષની ઉમરે નીકળેલા અપૂર્વ ઉદ્ગારની નીચેની કડીએ કવિશ્રીના સર્વ વાચકો જાણે છે:--
“અપૂર્વ અવસર એવો કયારે આવશે, .. કયારે થઈશું બાહ્યાન્તર નિર્ચન્થ જે.” - આ આર્ત-ભક્ત-વાણી એમના આંતર-જીવનના સહજાદુગાર સમી હતી. અને અંતરમાંથી તેવી આર્તિની સહજ-પ્રેરણાથી તેમણે પોતાનું ૩૩ જ વર્ષનું જીવન પૂરું કર્યું. એમાં જે વિશેષતા છે તે એ છે કે, તેમણે સતત વૈરાગ્યાભ્યાસનું સેવન કરતાં કરતાં ગીતાને ભાવ-સંન્યાસ અપનાવ્યો અને યશસ્વી કર્યો; શ્રવણધર્મ મુજબ સંન્યાસ-દીક્ષા લીધી. નહિ. તેવી દીક્ષા લેવાની તેમની ઇચ્છા-આતુરતા હતી કે કેમ, તે કઈ જાણકાર કહી શકે, અથવા પછી તેમની જીવનકથા પરથી અનુમાનવું રહ્યું. .!
- તેમણે સર્વ ધર્મગ્રંથોને અભ્યાસ કર્યો હતો. પણ ગાંધીજી લખે છે કે, તેમનો પક્ષપાત જૈન દર્શન તરફ હતો, એમ તેઓ મને.
શા-૧૮ * * * *
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org