________________
૨૩૬
જ્ઞાની ભક્તની પ્રતિભા તેય શું અને સાંસારિક પદાર્થોથી દેખીતા છેટા ઊભા રહે તેય શું? સંસારવ્યવહારની છોળથી તેવા જીવનને વિકૃતિ નથી થતી. આ જીવન તે જ ખરું ત્યાગી જીવન અને સ્વર્ગસ્થ સંસારની દૃષ્ટિમાં જણાવ્યું ગૃહસ્થી છતાં ત્યાગી જીવન જ ગાળ્યું છે. બાકી તે –
વનેડપિ દેષા: પ્રભવન્તિ રાગિણામ્
ગૃહેડપિ પંચેન્દ્રિયનિગ્રહ: તપ: અકુત્સિતે કર્મણિ ય: પ્રવર્તત
નિવૃત્તરાવસ્ય ગૃહે તપવન” ” આ પ્રકારનું નૈષ્ઠિક જીવન અને આત્મશ્રદ્ધા સાધક, પ્રારબ્ધાનુસાર સ્વકર્મ-જીવનમાં પ્રવૃત્ત છતાં, કયા ક્રમે કે કઈ રીતિથી પામે અને આત્મસિદ્ધિની પરમ ગતિ-સ્થિતિને લહી શકે, તેને જ નકશો કે તેવા જીવનની રૂપરેખા ગીતાકાર, પોતાના સંવાદનો અંત સમારોપ કરતાં વર્ણવે છે, તે પરથી શ્રીમની સાધનાનું સ્વરૂપ ટૂંકમાં ખ્યાલમાં આવી શકશે:
स्वे स्वे कर्मणि अभिरतः संसिद्धिम् लभते नरः। સ્વકર્મનિરત: સિદ્ધિમ્ યથા વિન્દતિ તત્ શણ / યત: પ્રવૃત્તિ: ભૂતનામ્ યેન સર્વમ્ ઇદમ્ તમ્ | સ્વકર્મણા તમભ્યર્થ્ય સિદ્ધિ વિન્દતિ માનવ: || શ્રેયાનું સ્વધર્મ: વિગુણ: પરધર્માત્ સ્વનકિતાત્ સ્વભાવનિયત કર્મ કર્થન ન આપ્નતિ કિબિષમ | સહજે કર્મ કૌતેય સદોષમપિ ન ત્યજે !
સર્વોરંભા હિ દોષણ ધૂમેન અશિઃ રૂવ સાવૃતાઃ || કર્મ-જીવનમાં આ ભાવથી પ્રવૃત્ત થવાપણું સાધનાના જીવન-વિકાસક્રમમાં સંભવતું હોઈ, તે વિહિત છે; અને જાગ્રત ભાવે તે સેવતાં, કોયસ્કર થઈ શકે છે. કવિશ્રી એ રીતે પ્રવર્તતાં શેષ જીવનમાં નિશ્ચયપૂર્વક આગળ વધે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org