________________
જ્ઞાનીના માગ ના વિચાર
૨૩૩
ગયા વર્ષ કરતાં લગભગ બમણા થયા છે. ગયા વર્ષ જેવું તેમાં પરિણામ આવવું કઠણ છે. થાડા દિવસ કરતાં હાલ ઠીક છે; અને આ વર્ષે પણ તેનું ગયા વર્ષ જેવું નહીં તાપણ કંઈક ઠીક પરિણામ આવશે, એમ સંભવ રહે છે. પણ ઘણા વખત તેના વિચારમાં વ્યતીત થવા જેવું થાય છે; અને તે માટે શોચ થાય છે કે, આ એક પરિગ્રહની કામનાના બળવાન પ્રવર્તન જેવું થાય છે, તે શમાવવું ઘટે છે; અને કંઈક કરવું પડે એવાં કારણેા રહે છે. હવે પ્રારબ્ધાદય તરત ક્ષય થાય તા સારું, એમ કરે છે.
જેમ તેમ કરી તે
મનમાં ઘણી વાર રહ્યા
અત્રે જે આડત તથા મેાતી સંબંધી વેપાર છે, તેમાંથી મારાથી છૂટવાનું બને અથવા તેને ઘણા પ્રસંગ ઓછા થવાનું થાય તેવા કોઈ રસ્તા ધ્યાનમાં આવે તે લખશેા
""
66
‘જ્ઞાનીના માર્ગના વિચાર' કરતાં, જ્ઞાનીના સુખ વિષે (મુંબઈ, પત્રમાં (શ્રી.૨ - ૫૩૦-૧) સામ્યયાગ કહે છે, તે વિષે
જેઠ સુદ ૧૦ રવિ, ૧૯૫૧ રોજના) એક તેની સમતાની સ્થિર બુદ્ધિ કે ગીતા જેને લખે છે:- =
જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે, તે નિજ સ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. બાહ્ય પદાર્થમાં તેને સુખબુદ્ધિ નથી, માટે તે તે પદાર્થથી જ્ઞાનીને સુખદુ:ખાદિનું વિશેષપણું કે છાપણું કહી શકાતું નથી. જોકે સામાન્યપણે શરીરના સ્વાસ્થ્યાદિથી શાતા અને જ્વરાદિથી અશાતા જ્ઞાની અને અજ્ઞાની બંનેને થાય છે. તથાપિ જ્ઞાનીને તે તે પ્રસંગ હર્ષ-વિષાદના હેતુ નથી, અથવા જ્ઞાનના તારતમ્યમાં ન્યૂનપણું હોય તો કંઈક હર્ષવિષાદ તેથી થાય છે, તથાપિ કેવળ અજાગૃતતાને પામવા યેાગ્ય એવા હર્ષવિષાદ થતા નથી. ઉદય-બળે કંઈક તેવાં પરિણામ થાય છે, તેપણ વિચાર-જાગૃતિને લીધે તે ઉદય ક્ષીણ કરવા પ્રત્યે જ્ઞાની પુરુષનાં પરિણામ વર્તે છે. ઉદય-વાયુયોગે યતિકિચત્ દશાફેર થાય છે, તોપણ પરિણામ, પ્રયત્ન સ્વધર્મને વિષે છે.
66
Jain Education International
......
For Personal & Private Use Only
www.jainelibrary.org