________________
જોતાં, ચારિત્ર્ય ઘડયે જ તેમ થી નીતિ કરી શકે છે. કવિની ધમાં આ પ્રકારની આત્મસંશુદ્ધિ અર્થે અનેકવિધ સંકલ્પ પણ ઊતરેલ, જોવા મળે છે. જેમ કે, “પ્રમાદ કોઈ કૃત્યમાં કર્યું નહિ. મને વીરત્વની વૃદ્ધિ કરું, અયોગ્ય વિદ્યા સાધુ નહિ. નિર્માલ્ય અધ્યયન કરું નહિ. વિચારશક્તિને ખીલવું. આળસને ઉત્તેજન આપું નહિ. દિનચર્યાને ગેરઉપયોગ કરે નહિ. ઉત્તમ શક્તિને સાધ્ય કરું. ચારિત્ર્યને અદ્ભુત કરવું. વિજય, કીર્તિ, યશ સર્વપક્ષી પ્રાપ્ત કરવાં. શક્તિને ગેરઉપયોગ કરું નહિ. પ્રત્યેક વસ્તુનો નિયમ કરું. નિયમ વગર વિહાર કરું નહિ. ખેટો ઉદ્યમ કરું નહિ. અનુઘમી રહ્યું નહિ.”
જીવનના જે ક્ષેત્રો વિહરીએ, તેમાં વિવેકમય ઉત્તમતાની સાધના કરવાને માટે ઉત્કટતા ધરવી, તે અર્થે નિશ્ચયપૂર્વક પ્રયાણ કરવા વ્રતનિયમ ધરીને ચાલવું, એ પ્રકારની કવિની આ વૃત્તિ જોઈ ગાંધીજીની એવી જ વૃત્તિ યાદ આવે છે; આ પ્રકારનું સમાનધર્મીપણું આ બે પુરુષોની આત્મ-બંધુતાનું સહજકારણ બન્યું હશે, એમ સહેજે જોઈ શકીએ. કવિની આ ગુણશક્તિ જોઈને ગાંધીજી તેમના ભણી આકર્ષાયા હતા, એમ જાણવા મળે છે.
આવો જિજ્ઞાસું સાધક શ્રદ્ધાથી જ્ઞાનોપાસનામાં સહેજે લાગે છે. તેને જીવનના ઊંડા ઉદ્વેગથી અંતરમાંથી જ આત્મ-જિજ્ઞાસા જાગતી જાય છે – તેના સાંત્વનને માટે યોગ્ય ગુરુ-ગ્રંથ-કે સત્રાંગ ખોળે છે – તેને તે મળી રહે છે. ' ' કવિના જીવનના આ કાળે આવી જ્ઞાનપાસનાને માટે પણ અમુક વ્રતસંકલ્પ જેવું થયેલું હશે, તે તેમની નોંધપોથીમાં જોઈ શકાય જેમ કે. . “કોઈ દર્શનને નિદું નહિ. એકપક્ષી મતભેદ બધું નહિ. અજ્ઞાનપણને આરાધું નહિ. પરમાત્માની ભક્તિ કરું. તત્ત્વ આરાધતાં લોકનિદાની ડરે નહિ. તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org