________________
જ્ઞાની ભક્તની પ્રતિ - રાયચંદભાઈના જીવનનો આ સમય તેમની કુમારાવસ્થાથી શરૂ થતે જોવા મળે છે. વિદ્યાભ્યાસકાળથી જ તેમનામાં ધર્મજિજ્ઞાસા અને જ્ઞાનપ્રાપ્તિ માટે અનુરાગ જોવા મળે છે. નાનપણથી જ સ્વબુદ્ધિથી વિચાર કરીને ચાલવાની પ્રકૃતિવાળા પુરુષ તે છે. એને જ પુરાવો તેમની નોંધપોથી પાર વિનાને આપે છે. એને આધારે તેમને આ અતિ પ્રેરક બેધપૂર્ણ જીવનકાળ જોવા જેવો ગણાય.
શ્રીમદે વીસમે વર્ષે આશ્રમફેર કર્યો – બ્રહ્મચર્ય છોડી ગાઈશ્યને સ્વીકાર કર્યો, એ એક ભારે મહત્ત્વની અને જીવનમાં ક્રાંતિકારી ઘટના લાગે છે. એણે શ્રીમના જીવનને નવો ઝોક આપવામાં એક બાહ્ય પણ અસરકારક નિમિત્ત ઊભું કર્યું. કઈ મનોદશામાં એમણે આ ફેરફારનો નિશ્ચય કર્યો એ તપાસવા આપણી પાસે પૂરતી સામગ્રી નથી. જે થોડીઘણી છે તે પરથી એટલું અનુમાનીએ કે, શ્રીમદ્ તેમના વીસમા વર્ષ સુધીમાં એટલા બધા વૈરાગ્યદૃઢ નહોતા થયા, કે જેથી લગ્નની જંજાળમાં પડવાનું નિશ્ચિત રૂપે તે નકારે. એ એમના પ્રારબ્ધનું ઉદય-કર્મ હતું, એમ કહીએ. એમ છતાં તે જગત આત્મા હતા. પોતે જે નવપ્રયાણ કરે છે, તેમાં કેવી હોશિયારી ને ખબરદારીથી વર્તવું છે, તે તેમણે નોંધપોથીમાં ઉતાર્યું છે, તે પરથી જોઈ શકાય છે:
ગૃહસ્થાશ્રમ વિવેકથી કરવો. લોકઅહિત પ્રણીત કરું નહિ. ધર્મ વડે અર્થ પેદા કરું. તારો (પ્રભુને) સિદ્ધાંત તૂટે તેમ સંસારવ્યવહાર ન ચલાવું. સ્વાર્થે કોઈની આજીવિકા તેડું નહિ. જીવહિંસક વેપાર કરું નહિ. સ્વસ્ત્રીમાં સમભાવથી વવું. અબ્રહ્મચર્ય સેવું નહિ. નીતિ વિના સંસાર ભોગવું નહિ. દશાંશ કે.ધર્મમાં કાઢું. સ્ત્રી વિદ્યાર શાળી શોધું, કરું. પુત્રીને ભણાવ્યા વિના રહે નહિ. તેઓને ધર્મપાઠ શિખવાડું. કુટુંબને સ્વર્ગ બનાવું. સૃષ્ટિને સ્વર્ગ બનાવું, તે કુટુંબને મેલ બનાવું.”
આવો સંસાર ચલાવવા માટે અમુક આત્મબેલ કે ચારિત્ર્ય ધારણ કરવું પડે છે, તે વિના એ નીતિબોધ પથીમાં જ રહે. ખરુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org