________________
૧૩.
જ્ઞાની ભક્તની પ્રતિભા
નથી. આવા જે અંતરંગના ભેદ તે, જે જીવને નિકટપણે મેાક્ષ વર્તતા ન હોય, તે જીવ કેમ સમજી શકે?
“દુ:ખના ભયથી પણ સંસારમાં રહેલું રાખ્યું છે એમ નથી.. માન-અપમાનના તો કંઈ ભેદ છે, તે નિવૃત્ત થઈ ગયો છે......
.
“ મુંબઈ, આશ્વિન, ૧૯૪૮ રોજની તેવી બીજી નોંધ (શ્રી.૧૪૦૪) છે જેમાં કાંઈક તત્ત્વ-ભાષામાં લખ્યું છે:
“ જે પદાર્થમાં નિત્ય વ્યય વિશેષ થાય અને આવૃત્તિ છી. હાય, તે પદા ક્રમે કરી પોતાપણાના ત્યાગ કરે છે, અર્થાત્ નાશ પામે છે, એવા વિચાર રાખી આ વ્યવસાયના પ્રસંગ રાખ્યા જેવું છે. “ પૂર્વે ઉપાર્જિત કરેલું એવું જે કંઈ પ્રારબ્ધ છે, તે વેદવા સિવાય બીજો પ્રકાર નથી, અને યોગ્ય પણ એ રીતે છે એમ જાણી, જે જે પ્રકારે જે કાંઈ પ્રારબ્ધ ઉદય આવે છે, તે સમપરિણામથી વેદવાં ઘટે છે, અને તે કારણથી આ વ્યવસાય-પ્રસંગ વર્તે છે.
“ચિત્તમાં કઈ રીતે તે વ્યવસાયનું કર્તવ્યપણું નહીં જણાતાં છતાં તે વ્યવસાય માત્ર ખેદનો હેતુ છે, એવા પરમાર્થ નિશ્ચય છતાં પણ પ્રારબ્ધરૂપ હોવાથી, સત્સંગાદિ યોગને અપ્રધાનપણે વેદવે પડે છે. તે વેદવા વિષે ઇચ્છા-નિરિચ્છા નથી; પણ આત્માને અફળ એવી આ પ્રવૃત્તિના સંબંધ રહેતા દેખી ખેદ થાય છે અને તે વિષે વારંવાર વિચાર રહ્યા કરે છે.”
જાણ્યેઅજાણ્યે, જીવનના મૂળ પ્રશ્ન વિષે ઊંડી જિજ્ઞાસા જાગતાં જેવા ખેદ-વિષાદ જન્મે, (જેમ કે, અર્જુનને ચિંતા યુદ્ધપ્રસંગથી પ્રગટ થઈ આવ્યો, એમ ગીતાના પ્રથમ બે અધ્યાય વર્ણવે છે.) તે પ્રકારના ખેદ-વિષાદયોગ કવિશ્રીના આ કાળના સમયે દેખાય છે; અને તે તેમને જાણમાં છે – તેના અંતર્ભે દ તેમને પેાતાના આંતર-ધ્યાનાદિમાંથી સમજાય છે; અને એનું કથન આ છે, એમ આપણે જોઈએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org