________________
-૨૨૦
જ્ઞાની ભકતની પ્રતિભા રાખવું બહુ બહુ રહ્યા કરે છે, તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તે વિયોગમાં રહ્યા કરીએ છીએ, એ પણ પૂર્વ નિબંધનને કોઈ ' મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે....
કવિશ્રીના ૨૫મા વર્ષનાં લખાણમાં ઉપરની ચિરસ્થિતિ જ્યાં ત્યાં વર્ણવાયેલી જોવા મળે છે. તેમણે જ તેનું સૂત્રરૂપ વર્ણન એક : પત્રમાં આમ લખી જણાવેલું મળે છે (મુંબઈ, વૈશાખ સુદ, શુક્ર – અક્ષયતૃતીયા, ૧૯૪૮; શ્રી.૧- ૩૬૬):
“ભાવસમાધિ છે. બાહ્યઉપાધિ છે; જે ભાવને ગૌણ કરી શકે એવી સ્થિતિની છે તથાપિ સમાધિ વર્તે છે.”
એને જ બીજે દિવસે (વૈ. સુ. ૪, શનિ, ૧૯૪૮ શ્રી. - ૩૬૭) ઉપરની જ વાત વળી વિશેષ રૂપે આ શબ્દોમાં લખી છે:
“અત્ર આત્મતા હોવાથી સમાધિ છે......'
“ખરું આત્મભાન થાય છે તેને, હું અન્યભાવને અકર્તા છું એ બોધ ઉત્પન્ન થઈ, અહં-પ્રત્યાય-બુદ્ધિ, તે વિલય પામે છે.
એવું જે આત્મભાન તે વારંવાર ઉજજવળપણે વર્યા કરે છે, - તથાપિ જેમ ઈચ્છીએ તેમ તે નહીં. અા સમાધિ છે.– સમાધિરૂપ”
વળી સુદ, ૫, રવિને (શ્રા. - ૩૬૭) બીજે દિવસે લખે છે:“હાલ તો અનુક્રમે ઉપાધિયોગ વિશેષ વર્યા કરે છે.......
“અનંત કાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તો તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું, એ જેને નિશ્ચય છે, તેને તેમ હોય છે, એમ અમે જાણીએ છીએ.
વનને વિષે ઉદાસીનપણે સ્થિત એવા જે યોગીઓ – તીર્થંકરાદિક – તેનું આત્મવ સાંભરે છે.”
અધ્યાત્મ- કે ધ્યાન- યોગની આ સ્થિતિ જ શમયોગારૂઢ સાધકની દે છે, જેને કવિ અહીં “સમાધિ' કહે છે, – જેતે ગીતાકારે વિસ્તારીને અo
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org