________________
બ્રહ્મજિજ્ઞાસુને વિષાદયોગ
૨૧૯ માગમના ચાલુ કથા-વાર્તા-પ્રસંગનાં તન્મયતા કે તત્પરાયણતા કેમ કરતાં. લાધે, એવી ઉત્કંઠા તેમને ઊંડે રહ્યા કરી છે. જેમ કે, મુંબઈ, ફાગણ સુદ ૧૪, ૧૯૪૮ રોજના પત્રમાં (શ્રી.૧-૩૬૦) લખે છે
હાલ જે કંઈ વ્યવહાર કરીએ છીએ, તેમાં દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે છે. આત્મા તેમાં વર્તતા નથી. કવચિત પૂર્વકર્માનુસાર વર્તવું પડે છે, તેથી અત્યંત આકુળતા આવી જાય છે, • આ વેપાર નામનું વ્યવહારિક કામ બીજાને અર્થે સેવીએ છીએ.
હાલ જે કરીએ છીએ, તે વેપાર વિશે મને વિચાર આવ્યા કરેલ, અને ત્યાર પછી અનુક્રમે તે કામની શરૂઆત થઈ ત્યારથી તે અત્યાર સુધીમાં કામની દિન પ્રતિદિન કંઈ વૃદ્ધિ થયા કરી છે.
“અમે આ કામ પેરેલું માટે તે સંબંધી ....... બને તેટલું મજૂરી જેવું કામ પણ કર્યાનું રાખ્યું છે. હવે હદ વધી ગયેલી હોવાથી નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઈ જાય છે. પણ એને દોષબુદ્ધિ આવી જવાનો સંભવ; તે અનંત સંસારનું કારણ .......ને થાય એમ જાણી, જેમ બને તેમ ચિત્તાનું સમાધાન કરી, તે મજૂરી જેવું કામ પણ કર્યા જવું, એમ હાલ તો ધાર્યું છે. * “કોઈ પણ જીવ પરમાર્થને ઇચ્છે અને વ્યાવહારિક સંગમાં પ્રીતિ રાખે, ને પરમાર્થ પ્રાપ્ત થાય એમ તો કોઈ કાળે. બને જ નહીં. આ કામની નિવૃત્તિ, પૂર્વકમ જોતાં તે, હાલ થાય તેવું દેખાતું નથી....”
, ફાગણ વદ ૦)), સોમ, ૧૯૮૮ના બીજા પત્રમાં આ જ ભાવ:. દર્શાવતું વિધાન (શ્રી.૧-૩૬૩) જુ
- “અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોના અપ્રતિબંધ જેવું છે, કુટુંબથી, ધનથી, પુત્રથી, “વૈભવથી',. સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે, – તે મનને પણ સત્સંગને વિષે બંધન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org