________________
૨૧૦
જ્ઞાની ભક્તની પ્રતિભા
અમે બ્રહ્મ, તમે બ્રહ્મ, તે બ્રહ્મ, એમાં સંશય નહીં. એમ જાણે તે બ્રહ્મ એમાં સંશય નહીં, એમ ન જાણે તે પણ બ્રહ્મ, એમાં સંશય નહીં. જીવ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. જડ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. બ્રહ્મ જીવ રૂપે થયેલ છે, એમાં સંશય નહીં. બ્રહ્મ જડ રૂપે થયેલ છે, એમાં સંશય નહીં. સર્વ બ્રહ્મ છે, એમાં સંશય નહીં.
ૐ બ્રહ્મ.
સર્વ બ્રહ્મ, સર્વ બ્રહ્મ.
તે પછી વળી આ “ સંશય-નહીં” નું નિશ્ચયગાન બ્રહ્મ ઉપરાંત બીજા બે અસંશયભાવા પણ આમ નોંધે છે:
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
66
સર્વ હિર છે, એમાં સંશય નહીં.”
·66
આ સર્વ આનંદરૂપ જ છે, આનંદ જ છે, એમાં સંશય નહીં.”
66
પ્રભુપ્રેમથી મલકાતાં છલકાતાં કવિહૃદયા કેવી પ્રેમભરી અવળવાણીમાં ભાંડે, એ નરસિંહ વગેરે કવિનાં ભજનોમાં જોવા મળે છે. કવિ મુંબઈથી (કાર્તિક સુદ ૫, સામ, ૧૯૪૭) લખેલા એક પત્રમાં લખે છે:
ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે. તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછાં નથી! વિચિત્ર કરવું એ જ એની લીલા! ત્યાં અધિક શું કહેવું ? ....... મેાક્ષની આપણને કાંઈ જરૂર નથી. નિ:શંકપણાની, નિર્ભયપણાની, નિર્મુઝનપણાની અને નિ:સ્પૃહપણાની જરૂર હતી, તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે........ જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ.” (શ્રી,૧- ૨૭૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org