________________
૨૮ કાલ-દર્શન અને મુમુક્ષુતા “કરાળ કાળ હેવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, ત્યાં તે કરી શકતું નથી....... સધર્મને જોગ પુરુષ વિના હોય નહીં, કારણ “અસ”માં “સત” હોતું નથી. જ્યારે એમ છે ત્યારે સદ્ધર્મ-રૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય? અને અમુક કાળ વ્યતીત થયા છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી, ત્યારે મુમુક્ષુતા પણ કેમ રહે?......
“અમે એવો દૃઢ નિશ્ચય કર્યો છે કે, જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. પોતાની યોગ્યતા જેવી છે, તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોને સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે તેને અમે “પરમ સત્સંગ' કહીએ છીએ, કારણ એના જેવું કોઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી, અને સાંભળ્યું નથી.....” (“રાજબોધ’– પૃ૦ ૬૪) આ જગતનું સ્વરૂપ પારખવા માગનારે તેના ભર્યા-ભાદર્યા જીવનમાં તેની જ જોડાજોડ પ્રવર્તતું કાલરૂપ મરણ પણ પામવું જ જોઈએ; તે વિના જગતને સાચો ક્યાસ ન જ આવી શકે. જન્મમરણના બે ખીલા વચ્ચે જ પસરેલ જીવનપટ જોવા બસ નથી: જગતનું ને પોતાનું સત્ય સ્વરૂપ પામવા માગનાર જીવાત્માએ સાંપરાય-દૃષ્ટિ કરવી જ પડે. અને તેથી જ, દાત૭, જીવોને ઈશના કાળમુખમાં ચવાતા ખવાતા જોઈને, સારાંશે કહો કે, મરણને જોઈને મૂંઝાયેલા અર્જુનને શ્રીકૃષ્ણ સ્પષ્ટ કહે છે કે, હું લોકક્ષયકૃત કાલ-પ્રભુ પણ છું, તે તું ભૂલ મા.
૧૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org