________________
જ્ઞાની ભકતના પ્રતિભા , “તે પૂર્ણસ્વરૂપ હરિમાં પરમ જેની ભક્તિ છે, એ કઈ પણ પુરુષ હાલ નથી દેખાતે, એનું શું કારણ હશે? તેમ તેવી અતિ તીવ્ર અથવા તીવ્ર મુમુક્ષુતા કોઈની જોવામાં આવી નથી, તેનું શું કારણ હશે? કવચિત તીવ્ર મુમુક્ષુતા જોવામાં આવી હશે તે ત્યાં અનંતગુણગંભીર જ્ઞાનાવતાર પુરુષને લક્ષ કેમ જોવામાં આવ્યો નહીં હોય?...”
શ્રીમનું આ અધિષ્ઠાન-દર્શન અથવા “વિશ્વરૂપદર્શન', અને તેને આધારે ઉત્પન્ન થતી તીવ્ર મુમુક્ષા અને પરા ભક્તિ, અને વિદ્યમાન પોતાના સમયના લોકોમાં તેનો અભાવ જોઈને થતે અફસ (જે ઉપર તેમણે વ્યક્ત કર્યો છે,) - આ વિષે કાંઈક વિશેષ પૃથગ્વિચાર કરવાથી શ્રીમદ્ભી આ સમયની અધ્યાત્મ-દશાનો ચિતાર કાંઈક વધુ વિશદ આવી શકશે. તે અલગ પ્રકરણ રૂપે જોવું ઠીક થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org