________________
જ્ઞાની ભકતની પ્રતિભા કર્યું તેમ, લોકોએ પોતાના ગુરુઓને અને આચાર્યોને ઈશ્વર તરીકે પૂજવા માંડયા. આધુનિક યુગમાં, જ્યારે ઈશ્વરને માનવની વિચારસરણિમાંથી બાકાત રાખવામાં આવ્યો છે, ત્યારે પણ, બીજી કોટીના સાધનથી ઈશ્વર-પૂજાની કામના સંતોષવામાં આવે છે; - જેમ કે, પોતાના દેશને કે પિતાની ભાષાને કે કોઈ અટળ-અફર સિદ્ધાંતને ઈશ્વરની કોટીએ સ્થાપી દેવામાં આવે છે. કારણ કે, કોઈ ને કોઈને પૂજવું-અર્ચવું
એ માનવ જીવનની આવશ્યકતા છે. એમ તે કોઈ પણ બાબતની -અર્ચના સામાન્ય રીતે સારી અને બિન-હાનિકર કહેવાય, પરંતુ ઈકવરને - સ્થાને ધન-દોલતને સ્થાપવી, એ તો બહુ હાનિકર અવેજ છે.”
જૈન પરંપરામાં આ મુદ્દા ઉપર તેના સમાજમાં બે મોટા ભાગ જ પડેલા જોવા મળે છે. કવિ તે ધર્મપરંપરામાં વિશેષ આસ્થાવાળા અને તેની સુધારણા કરવાના મારથી હતા. તેથી આ બાબતમાં તેમની વૃત્તિ કેવી હતી, તે જોવું ઘટે.
જૈન પરંપરામાં બે ભાગ છે– મૂર્તિપૂજક અને મૂર્તિપૂજક નહિ એવા સ્થાનકવાસી. ભક્તહૃદય કવિની રુચિ પહેલા પ્રત્યે છે, એમ તે સ્પષ્ટ કહે છે:
. સઘળા મતેમાં મુખ્ય વિવાદ:- એકનું કહેવું પ્રતિમાની સિદ્ધિ માટે છે; બીજા તેને કેવળ ઉત્થાપે છે. બીજા ભાગમાં પ્રથમ હું પણ ગણાયો હતો. મારી જિજ્ઞાસા વીતરાગ દેવની આજ્ઞાના આરાધના ભણી છે. એમ સત્યતાને ખાતર કહી દઈ દર્શાવું છું કે, પ્રથમ પક્ષ સત્ય છે; એટલે કે, જિન પ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણેક્ત, અનુભવોક્ત અને અનુભવમાં લેવા યોગ્ય છે....... મારી પ્રતિમામાં શ્રદ્ધા છે, માટે તમે સઘળા કરો, એ માટે મારું કહેવું નથી; પણ વીર ભગવાનની આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય છે તેમ કરવું. પણ આટલું સ્મૃતિમાં રાખવાનું કે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org