________________
૧૬૪,
જ્ઞાની ભકતની પ્રતિભા " જગતમાં ગુરુશરણ્ય કે દેવપૂજાની સત્યતા વિષે શંકા નથી; જોકે તે સિદ્ધાંતના વિરોધી (મૂર્તિપૂજા સામે) સપ્રદાયો પણ ધર્મોમાં પેદા થાય છે. જેમ કે, આર્ય સમાજ, ઇસ્લામ, સ્થાનકવાસી જૈન સમાજ વગેરે. છતાં, આ પ્રકારના સાધનથી સાધનાબળ ન મળી શકે એમ ભાગ્ય કહેવાય.
આ સાધનમાં રહસ્ય એ છે કે, વ્યક્તિ કોને ગુરુ કે દેવપુરુષ. માને છે, એ મોટી વાત છે. કેમ કે, દરેક જણ પોતપોતાના સંત્ત્વ કે સ્વભાવ મુજબ શ્રદ્ધા-ભક્તિ સહેજે ધરાવે છે:
सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत । श्रद्धामयोऽयं पुरुषः यो यत्श्रद्धः स एव सः॥
(ગીતા, ૧૭-૩) જેવી પોતાની કામના કે શરણ્ય-બુદ્ધિ તેવું શરણ્ય માણસ ખેળે છે, અને તે તેને મળી જ રહે છે – ____ कामैस्तै रतैः हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः ।
तं तं नियममास्थाय प्रकृत्या नियताः स्वया ।। ७- २०॥ અને તેથી જ પરાભક્તિ કે સદ્ગુરુની પ્રાપ્તિ વિરલ બને છે; કારણ કે, લાખમાં વિરલ પુરુષો જ તેવી સાચી જિજ્ઞાસા કે મુમુક્ષાવાળા હોય છે. એ જ કારણે ભકતોના પ્રકાર પાડવા શકય છે, (કે જેમ ચાર પાડીને ગીતા વર્ણવે છે).
કવિ તેમના (મુંબઈ, શ્રાવણ સુદ, ૧૯૪૭) એક પત્રમાં (શ્રી, ૧-૩૩૦) જીવોના પ્રકાર, આ દૃષ્ટિએ, પાડી બતાવીને કહે છે, તે એમની સદ્ગુરુ-શરણ્યની ભાવનાને સમજવામાં સારી પેઠે મદદરૂપ છે :- “આ જગતને વિષે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થ કાળ જેવા કાળને વિષે પણ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે.... એમ જાણી, જે જે પ્રકારે સત્સંગના વિયોગમાં પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય, તે તે પ્રકારે: પ્રવર્તવાને પુરુષાર્થ વારંવાર, વખતેવખત, અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય : છે; અને નિરંતર સત્સંગની ઇચ્છા, અસત્સંગમાં ઉદાસીનતા રહેવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org