________________
- સદ્ગુરુશરણુંની ભાવના ચેતવ્યા છે. જેમ કે, “ધન હરે ધોખે નવ હરે”; “એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા” – ઇ૦ જ્ઞાની ભક્ત કવિઓની ઉક્તિ જુઓ. છે પરંતુ, તે દોષ ગુરુભક્તિભાવ કે તેના તત્ત્વની મૂળ વસ્તુને નથી: સત્સંગ અને ગુરુ-શરણ્ય સામાન્ય લોકોને માટે એટલું બધું આવશ્યક લોકસાધન છે કે, તેને જ ઉદેશીને ગીતાકારે કહ્યું કે, તે વડે સ્ત્રિય વૈશ્યાસ્તથા શૂદ્રાક, પિ યાંતિ પરાં ગતિ.” અને જગતના બધા જ ધર્મોમાં એ સાધન પ્રમુખ પદે મુકાય છે. જીવાત્માના પોલાદી અહંભાવને પણ પલાળીને પોચો કરી શકે – ઓગાળી દે, એ એની વિરલ શક્તિ કે સિફારિશ છે, એમ ચોક્કસ બતાવી શકાય. તેથી એકમેવ-ગુરુ-પેગંબર શરમ્યવાદી એવા ધર્મો પણ તેને મહિમા માને છે; જોકે, તે વસ્તુ જ એક નવું ધર્માભિમાન, ઝનૂન, જેહાદ વગેરે જગવતું ઇતિહાસ બતાવે છે. બદ્ધ શરણ્ય-મંત્ર કહે છે – “બુદ્ધ શરણં ગચ્છામિ ” જૈન નવકાર મંત્રમાં નિગ્રન્થ અહાદેવનું શરણ્ય મોટું માન્યું છે; ઈસ્લામ પેગંબરસાહેબનું અને ખ્રિસ્તધર્મ પ્રભુ પુત્ર ઈશુનું અનન્ય શરણ્ય ઉપદેશે છે. હિંદુ ધર્મશાસ્ત્રો એવો કોઈ એકમેવ ગુરુશરણ-મંત્ર નથી કહેતાં; છતાં સાંપ્રદાયિક સંત-મહંત-ગુરુ-પૂજા તેમાં ભરપૂર છે; અને અવતાર-પૂજા, તથા જેની જેવી ઇષ્ટભાવના તે મુજબ અનન્ય શરણ. સંબોધે છે. અને છેવટે દરેકના અંતરમાં બેઠેલો પ્રભુ તો છે, જે ગુરુઓને ગુરુ – સર્વનો આદિ કે સ્વયંગુરરૂપ અંતરમાં હાજરાહજૂર બિરાજે છે, – કે જેના વડે આ સર્વ બધું પથરાયું છે. – યેન સમિટું તતમ્ | છે આ શરણ્યથી કે તમોગુણી મૂઢ જ્ઞાન ભરેલો દોષ થાય, એ પણ બધા ધર્મોના લોકજીવનપ્રવાહને ઇતિહાસ બતાવે છે. જેમ કે, ગાંધીજી તેમની “આત્મકથા'માં દક્ષિણ આફ્રિકામાં ખ્રિસ્તધર્મના અમુક અનયાયીઓના પ્રસંગમાં આવતાં થયેલો અનુભવ વર્ણવે છે. અને એમ. જ બધા સંપ્રદાયમાં આવી ભ્રાંતિની તામસ ગુરુપૂજા જેવી લોકભાવના પણ પ્રવર્તે છે. જોકે, તેમાં તથ્થાંશ એટલો બતાવી શકાય કે, મૂર્તિપૂજા ઈ0ના વિધિ-ઉપચારો વડે સામાન્ય લોકો શરણ્ય અને ભક્તિના તત્ત્વમાં જ્ઞા૦-૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org