________________
વેદમત-સમાગમ બીજો પત્ર સુદ ૪, રવિ, ૧૯૪પને વવાણિયા બંદરેથી છે, તેને પ્રારંભે શ્રી. હરિભદ્રાચાર્યને નીચેનો શ્લોક ટાંક્યો છે –
पक्षपातो न वीरे __न मे देषः कपिलादिषु। युक्तिमद् वचनं यस्य
तस्य कार्यः परिग्रहः ॥ અને કહે છે કે,
“આપનું ધર્મપરા વૈશાખ વદ ૬નું મળ્યું. તે પત્રમાં આપ દર્શાવો છો કે, કોઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું, એ જ્ઞાનીઓને ઉપદેશ છે; આ વચન મને પણ સંમત છે. પ્રત્યેક દર્શનમાં આત્માનો જ બોધ છે, અને મોક્ષ માટે સર્વને પ્રયત્ન છે; તોપણ આટલું તે આપ પણ માન્ય કરી શકશો કે, જે માર્ગથી આત્મા આત્મત્વ – સમ્યક જ્ઞાન - યથાર્થષ્ટિ – પામે, તે માર્ગ પુરુષની આજ્ઞાનુસાર સંમત કરવો જોઈએ. અહીં કોઈ પણ દર્શન માટે બોલવાની ઉચિતતા નથી; છતાં આમ તો કહી શકાય કે, જે પુરુષનું વચન પૂર્વાપર અખંડિત છે, તેનું બોધેલું દર્શન પૂર્વાપર હિતસ્વી છે. આત્મા જ્યાંથી યથાર્થદૃષ્ટિ' કિંવા “વસ્તુધર્મ’ પામે ત્યાંથી સમ્યક જ્ઞાન સંપ્રાપ્ત થાય, એ સર્વમાન્ય છે.” (શ્રી,૧ - ૨૧૩)
આ પ્રકારે શરૂમાં જણાવીને તે આગળ પોતાને વિષે વળી ચેખવટ આપતાં, “આચારાંગ” સૂત્રમાંથી નીચેનું વચનામૃત ટાંકે છે –
એગે જાણઈ સે સવ્વ જાણઈ,
જે સવ્વ જાણઈ સે જાણઈ.” “એકને જાણો તેણે સર્વ જાણું, જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણો.”...
અને પછી તે એ પત્રમાં લખે છે કે, “મહાવીરના બોધનો . મુખ્ય પાયો ઉપરના વચનામૃતથી શરૂ થાય છે અને એનું સ્વરૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org