________________
૨૪ વેદમત-સમાગમ
માર્ગ બે પ્રકારને જાણીએ છીએ. એક ઉપદેશ થવા અને માર્ગ, એક વાસ્તવ્ય માર્ગ. “વિચારસાગર” ઉપદેશ થવા અર્થે વિચારવા. ચોગ્ય છે.
જ્યારે જૈનશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જેની થવાને નથી જણાવતા; વેદાંતશાસ્ત્ર વાંચવા જણુવીએ ત્યારે વેદાન્તી થવા નથી જણાવતા; માત્ર જે જણાવીએ છીએ, તે તમ સર્વને ઉપદેશ થવા અર્થે જણાવીએ છીએ.
જૈની અને વેદાંતી આદિનો ભેદ ત્યાગ કરો. આમા તે નથી.” શ્રી.૧-૩૬૬) | મુખ્યત્વે કરીને બે ધર્મ-તત્ત્વદર્શને – જૈન અને વૈદિક કે બ્રાહ્મણ, એ બે વિષે કવિની પ્રારંભિક સાધનામાં શી સ્થિતિ હતી, તે આપણે જોઈ. તેમાં ઊંડે જતાં કવિના જ અંતરમાં વિવિધ પ્રશ્નો જાગે છે, અને તે બધાનું સંશોધન થઈને એ આત્મસિદ્ધિને પામે છે. - આ મંથનકાળ દરમિયાન તેમણે ઠીક ઠીક વેદમતને સમાગમ કર્યો હતો; તેવા બધા મંથનને અંતે એ પોતાના અંતરમાં અમુક નિશ્ચય ભાવને પામ્યા હતા.
ગાંધીજી જોડેનો કવિનો સમાગમ આ તેમના મંથનકાળ પછી શરૂ થાય છે. તેને પ્રારંભ ઈ.સ. ૧૮૯૧માં ગાંધીજી બારિસ્ટર થઈને પાછા આવ્યા ત્યારથી થયો; અને અંત સુધી નિકટતાથી ચાલુ રહ્યો. આ વિષે અયાસ કરવા માગનાર “ શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી” નામે શ્રી.
૧૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org