________________
અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ધર્મ અધિકાર
૭૧ ૧૪. ભક્ત- રાંધેલું ધાન્ય, સુખડી, (પાણી) વગેરે ખોરાકાદિનું વજનથી અમુક ત્રણ શેર, ચાર શેર વગેરે વજનનું પ્રમાણ નક્કી કરી તેથી વધારે વાપરવાનો ત્યાગ કરવો. તેમાં તડબૂચ આદિ ફળો ખાવાથી વજન વધી જવાનો સંભવ છે માટે તેનો ખ્યાલ રાખવો.
એમ ઉપર જણાવ્યાતચૌદ નિયમનો ઉપલક્ષણથી બીજી પણ શાક, ફળ, ધાન્ય વગેરે વસ્તુઓનું નામ સંખ્યા-વજન વગેરેથી પ્રમાણ નક્કી કરવું અને સ્નાન, અબ્રહ્મ વગેરેનું ‘અમુક વાર કે અમુક સમય સુધી એમ પ્રમાણ નક્કી કરવું. એ મુજબ યથાશક્તિ ચૌદ નિયમો ગ્રહણ કરવા. (૧૧) . ૧. ચૌદ નિયમો ધારવામાં, વસ્તુતઃ નિરુપયોગી ભોગના અવિરતિજન્ય પાપથી બચી જવાય એ
એક મોટું ફળ છે. મુખ્યતયા નિયમો ધારવામાં પોતાની બુદ્ધિ-સમજપૂર્વક જે રીતિએ ધારે તે રીતિએ તેનું પાલન કરવાનું હોય છે, છતાં શાસ્ત્રોમાં ઉપર પ્રમાણે સામાન્ય ક્રમ બતાવ્યો છે. આ ચૌદ પદાર્થોની સાથે બીજી પણ અનેક વસ્તુઓના નિયમો થઈ શકે છે, તે નિયમ ધારનારા અનુભવીઓ પાસેથી સમજીને કરી શકાય છે. વર્તમાનકાળે છવિગઈઓમાંથી અમુક વિગઈ સિવાયની બાકીની વિગઈઓનો ત્યાગ કરાય છે અથવા કોઈ તો દરરોજ અનુક્રમે નામપૂર્વક તજે છે. તેમાં કેટલાકો મૂલમાંથી, કાચી અને નિવિયાતી-એમ સર્વથા વિગઈનો ત્યાગ કરે છે, તો કોઈ માત્ર કાચી કે તેનાં નિવિયાતાં જ તજે છે. તાબૂલમાં કોઈ લવિંગ, એલચી, જાયફળ, જાવંત્રી, અનેક જાતિનાં ચૂર્ણો વગેરે મુખશુદ્ધિનાં સાધનો પૈકી અમુક નામપૂર્વક અમુક સંખ્યાનો નિયમ કરી બાકીના તજે છે. વસ્ત્રમાં કોઈ ધોતીયું, પોતડી, હાથ સાફ કરવાના ટુકડા (નેપકીન) શરીર લૂછવાના રૂમાલ વગેરે દરેક વસ્ત્રોની ગણત્રી રાખે છે. પુષ્પના ઉપલક્ષણથી કોઈ અમુક જાતિના સૂંઘવાનાં તેલ, અત્તર વગેરે તથા હાથમાં રાખવાની કલગી, ગળાના ફૂલહાર, હાથે પહેરવાના ફૂલના કંકણ, માથે ગૂંથવામાં આવતી ફૂલની વેણીઓ, છૂટાં ફૂલો વગેરે દરેકનું નિયમન કરે છે. વાહનો–'ફરતું, તરતું, ચરતું અને ઊડતુંએમ ચાર પ્રકારનાં હોય છે. તેમાં મોટર, ગાડી, રેલ્વે, સાઈકલ, ટ્રામ, ગાડાં, એક્કા વગેરે જડકેયાંત્રિક જમીન ઉપર ચાલતાં પ્રત્યેક વાહનો ‘ફરતાં' કહેવાય છે; નાવડી, હોડી, સ્ટીમર, મચ્છવા, ત્રાપા વગેરે નદી, ખાઈ કે સમુદ્રાદિના પાણીમાં ચાલતાં વાહનો ‘તરતાં ગણાય
છે. હાથી, ઘોડા, ઉંટ, ખચ્ચર વગેરે પશુરૂપ વાહનો “ચરતાં ગણાય છે; અને આકાશમાં ' ચાલતાં વિમાનાદિ ‘ઉડતાં વાહનો કહેવાય છે. એ દરેક જાતિનાં વાહનોનો વિભાગપૂર્વક અમુક સંખ્યામાં નિયમ કરી બાકીનો ત્યાગ કરાય છે. વિલેપનમાં-શરીરના સુખસ્પર્શરૂપ સાબુ, તેલ, અળતો, મેંદી, પાઉડરો, સુખડ, બરાસ, કસ્તુરી વગેરેનું અમુક તેતે વસ્તુઓના નામપૂર્વક, અમુક પ્રમાણમાં, અમુક વાર ઈત્યાદિ નિયમન કરી બાકીનો ત્યાગ કરાય છે. શયનમાં-ગાદી, તકીયા, ખુરશી, ટેબલ, મેજ, આરામચેર, સ્ટ્રેચર, પલંગ, ખાટલા, ચોપાઈ, પથારી, કોચ વગેરે સૂવા, બેસવા કે આરામનાં દરેક સાધનોની સંખ્યાનો નામવિભાગપૂર્વક નિયમ કરી બાકીનો ત્યાગ કરાય છે અને સ્મરણ ન રહે તો બહારગામે, બજારમાં કે એવા બીજા સ્થાને ઔચિત્યભંગ ન થાય માટે જયણા રખાય છે. અબ્રાને અંગે સ્વસ્ત્રીસંતોષ અને એકથી અધિક સ્ત્રીઓ હોય તો અમુક અમુક સિવાયની બીજીનો નિયમ કરવા સાથે અમુક વારથી વધારે વાર મૈથુન તજે છે. આને અંગે તિથિ પ્રાત સૂર્યોદયથી મનાય છે, છતાં પૂર્વની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org