________________
અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ધર્મ અધિકાર
૨. દ્રવ્ય- સચિત્ત અને વિગઈઓ સિવાય જે જે વસ્તુ મુખમાં નાખવામાં આવે, તે દરેક ચીજોને દ્રવ્યોને સંખ્યાથી ગણવાં. તેમાં ખીચડી, રોટલી, નિવિયાતા લાડુ, લાપસી, પાપડી, ચુરમું, કરો, દૂધપાક, ખીર વગેરે પદાર્થો અનેક જાતિનાં ધાન્યો આદિ ઘણાં દ્રવ્યોથી તૈયાર થાય છે, તો પણ તે બધાં દ્રવ્યોનું સ્વરૂપ બદલાઈને એક નવું સ્વરૂપ પ્રગટ થતું હોવાથી તેને એકેક દ્રવ્ય જ ગણવું. વળી એક જ જાતિના અનાજ વગેરેમાંથી બનેલાં અનેક દ્રવ્યો, જેવાં કે–ઘઉંમાંથી બનાવેલાં પુરી, રોટલો, રોટલી, ખાખરો, ઘુઘરી, ઢોકળાં, થુલી, બાટ, કણિક વગેરે દરેકનાં નામ તથા સ્વાદ જુદા જુદા હોવાથી, તે એક જ દ્રવ્યમાંથી બનેલાં પણ દરેકને જુદા ગણવાં. ફળો, સીંગો વગેરેમાં પણ તેનાં નામ એક જ હોવા છતાં સ્વાદ જુદા જુદા હોવાથી તથા તેનું સ્વરૂપ બદલાતું હોવાથી દરેકને જુદા દ્રવ્યો તરીકે ગણવાં. અથવા તો ગુરુ કે અનુભવી શ્રાવક પાસેથી સમજીને ઉપર જણાવ્યું તે સિવાય બીજી રીતિએ પણ દ્રવ્યોની મર્યાદા સંખ્યાથી નિયત કરવી. ધાતુની સળી, હાથની આંગળી વગેરે મુખમાં નાખવા છતાં દ્રવ્યમાં ગણાતાં નથી. (તે સિવાયની પ્રત્યેક ચીજ દ્રવ્યરૂપે ગણવી-એવો વ્યવહાર છે.).
૩. વિગઈ– દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને સર્વપક્વાન્ન-એ છ વિગઈઓ ભક્ષ્ય છે. તેમાં અમૂક છૂટ રાખીને બાકીની શક્ય હોય તેટલી - વિગઈઓનો ત્યાગ કરવો તે વિગUનિયમ.) .
૪. ઉપાનહ–જોડા, બુટ, ચંપલ વગેરે ચામડાનાં-કપડાનાં પગરખાં કે કપડાનાં મોજાં, એ દરેક ઉપાનહ કહેવાય છે. લાકડાની પાદુકા (ચાખડી) વગેરે તો ઘણા જીવોની વિરાધનાનું કારણ હોવાથી શ્રાવકે તેનો સર્વથા ત્યાગ કરવો, અને વાપરવાના ચામડાનાં કે કપડાનાં ઉપર જણાવ્યાં તે બુટ, ચંપલ, મોજા વગેરેનું પ્રમાણ નક્કી કરી બાકીનો ત્યાગ કરવો.
૫. તાબૂલ– મુખવાસ, પાન, સોપારી, ખદિર (કપુર કે ખેરમાંથી બનેલી ઔષધિ વગેરે), વડિકા, કાથો વગેરે સ્વાદિમ વસ્તુઓ અમુક ઉપરાંત નહિ વાપરવાનું નિયમન કરવું. ૧. ગ્રંથમાં “સચિત્ત અને વિગઈઓ સિવાય’ એમ જણાવેલું છે, તેનું કારણ એ કે–ચૌદ નિયમમાં
સચિત્ત અને વિગઈ એ બે નિયમો અલગ જણાવ્યા છે, વર્તમાનમાં તો મુખમાં નંખાય તે તે બધી વસ્તુઓને દ્રવ્યોમાં ગણવાનો વ્યવહાર જોવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org