________________
૬૦
- સંબોધ પ્રકરણ ગાથાર્થ– ગુરુના (શાસ્ત્રોક્ત) ગુણોથી યુક્ત હોય તે ગુરુ છે. શાસ્રરૂપ પ્રમાણથી તેમને જાણીને વચન અને આચરણથી અને સંવિગ્નપક્ષ આદિ ગુણોથી તેમનો વિભાગ કરવો.
વિશેષાર્થ– જેમનું વચન જિનોક્ત શાસ્ત્રને અનુસરનારું હોય અને શાસ્ત્રમાં કહ્યા મુજબ આચરણ કરનારા હોય તે સુગુરુ છે. શાસ્ત્રમાં કહ્યા મુજબ આચરણ ન હોય પણ વચન ચિનોક્ત શાસ્ત્રને અનુસરનારું હોય તે સંવિગ્નપાક્ષિક છે. આ બંને ગુરુ તરીકે સ્વીકારવા યોગ્ય છે. જેમનાં વચન અને આચરણ એ બંને જિનવચનાનુસારી ન હોય તે કુગુરુ છે. આમ ગુરુઓ વિભાગ કરવા યોગ્ય છે. (૧૦૨)
// આ પ્રમાણે ત્રીજો સમ્યકત્વ અધિકાર પૂર્ણ થયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org