SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ સંબોધ પ્રકરણ છે. (૧) ઇંદ્રિયોના અસંયમને આપત્તિનો માર્ગ કહ્યો છે અને ઇંદ્રિયોના જયને સંપત્તિનો માર્ગ કહ્યો છે. જે માર્ગે જવાનું ઈષ્ટ (પસંદ) હોય તે માર્ગે જવું.” (૨) અહીં ઉત્તરાધ્યયના વાક્યોની સાથે મહાભારતના વાક્યો અર્થથી અભિન્ન છે. જૈનદર્શનમાં જીવદયા પાળવી જોઇએ, સત્યવચન બોલવું જોઇએ ઇત્યાદિ વાક્યો પ્રસિદ્ધ જ છે. અન્યદર્શનમાં કહ્યું છે કે- “અહિંસા, સત્ય, અચૌર્ય, પરિગ્રહનો ત્યાગ અને મૈથુનનો ત્યાગ આ પાંચ બધા જ ધર્મચારીઓ માટે પવિત્ર છે. અહીં જૈનદર્શનના વાક્યોની સાથે અન્યદર્શનના વાક્યો શબ્દ અને અર્થ એ બંનેથી અભિન્ન છે. આ પ્રમાણે નિશ્ચિત થયે છતે અભિન્ન અર્થવાળા અકરણનિયમ આદિ વચન ઉપર વિશિષ્ટ ક્ષયોપશમ આદિ વાક્યની સાથે પ્રષિ કરવો એ બૌદ્ધ વગેરે સામાન્ય લોકની પણ મૂઢતા છે, તેમાં પણ સર્વ નયવાદનો સંગ્રહ કરવાના કારણે જેમનું હૃદય મધ્યસ્થ ભાવવાળું છે તેવા સાધુ-શ્રાવકોની વિશેષથી (=ખાસ) મૂઢતા છે. આથી જ બીજા સ્થળે પણ આ ગ્રંથકાર મહાત્માએ કહ્યું છે કે-“અર્થથી તુલ્ય એવા હિંસાદિના સ્વરૂપમાં માત્ર નામભેદના કારણે પોતાનું કહેલું સાચું અને બીજાનું કહેલું ખોટુંએવો અધમ દોષ જેનાથી થાય તેને વિદ્વાનો દષ્ટિસંમોહ કહે છે.” (ષોડશક ૪-૧૧) પ્રદ્વેષ એટલે “આ અન્યદર્શનની પ્રરૂપણા છે એવી ઇર્ષા, (૯૮). सो सुद्धदंसणधरो, अलंकियं तेण भूयलं सव्वं । अण्णो ममत्तमिच्छत्तवासिओ पासिसारिच्छो ॥९९ ॥ स शुद्धदर्शनधरोऽलङ्कृतं तेन भूतलं सर्वम् । મચો મમત્વ-મિથ્યાત્વવાસિતઃ પાર્જિસદશઃ | SS II. ૨૬ ગાથાર્થ– પૂર્વે કહ્યું તેમ જેનામાં અરિહંતોની, સુસાધુઓની અને સમ્યકત્વયુક્ત સંઘની નિરુપચાર ભક્તિ છે અને અન્યદર્શનમાં રહેલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy