________________
૫૭.
સમ્યકત્વ અધિકાર तत्त्वमिदं या बुद्धिरन्यत्र जिनेन्द्रवाक्यानुसारि । મધ્યો તત્પલે મિથ્યાત્વત્યાતિઃ સર્વમ્ II ૨૮ I ... ૧૬૦
ગાથાર્થ– અન્ય દર્શનોમાં જે વચન જિનેન્દ્રના વચનને અનુસરનારું હોય તે વચનમાં આ તસ્વરૂપ છે, એવી જે બુદ્ધિ થાય અને જીવ અન્ય દર્શનો પ્રત્યે મધ્યસ્થ ભાવવાળો બને એ બધું મિથ્યાત્વના ત્યાગથી થાય.
વિશેષાર્થ- અન્ય દર્શનોમાં રહેલું વચન જિનવચનાનુસારી હોવા છતાં “આ વચન અન્ય દર્શનોમાં કહેવું છે માટે તાત્ત્વિક નથી એમ માનવું તે મૂઢતા છે. આ વિષે ઉપદેશપદ ૬૯૩મી ગાથાનો ગાથાર્થ અને ટીકાર્ય નીચે મુજબ છે–
ગાથાર્થ– જે અર્થથી અભિન્ન હોય તેમ જ અન્તર્થને આશ્રયીને શબ્દથી પણ અભિન્ન હોય તેમાં પ્રàષ કરવો તે મૂઢતા છે, જિનમતમાં રહેલાઓને વિશેષથી મૂઢતા છે.
ટીકાર્થ જે અર્થથી અભિન્ન હોય- જે વાક્ય શબ્દભેદ હોવા છતાં અર્થની અપેક્ષાએ અભિન્ન હોય=એક અભિપ્રાયવાળું હોય.
અનર્થને આશ્રયીને શબ્દથી પણ અભિન્ન હોય- અર્થને અનુસરનાર વ્યુત્પત્તિવાળા શબ્દરચનાની અપેક્ષાએ શબ્દથી પણ એક અભિપ્રાયવાળું હોય.
અહીં પરદર્શનમાં બે પ્રકારના વાક્યો ઉપલબ્ધ થાય છે-(૧) કેટલાક વિાક્યો અર્થથી જ અભિન્ન હોય. (૨) કેટલાક વાક્યો શબ્દ અને અર્થ એ
બંનેથી અભિન્ન હોય. તે આ પ્રમાણે ઉત્તરાધ્યયનસૂત્ર (ગાથા-૭૩૪)માં કહ્યું છે કે–આત્મા જ વૈતરણી નદી છે. આત્મા જ કૂટશાલ્મલી વૃક્ષ છે. આત્મા જ કામધેનું ગાય છે. આત્મા જ નંદનવન છે.
મહાભારતમાં કહ્યું છે કે–“જે કાંઈ સ્વર્ગ-નરક છે તે બધું જ ઇંદ્રિયો જ છે. નિગ્રહ કરાયેલી ઇંદ્રિયો સ્વર્ગ છે, અને ઉશૃંખલ ઇંદ્રિયો નરક ૧. નરકમાં વૈતરણી જાતિના પરમાધામીઓ વૈતરણી નદી વિક્ર્વીને તેમાં નારકોને ચલાવે છે.
આ નદીમાં ઉકળતા લાક્ષારસનો ધોધમાર પ્રવાહ વહેતો હોય છે. તેમાં ચરબી, પરુ, લોહી, વાળ અને હાડકાં તણાતાં હોય છે. ખરસ્વર જાતિના પરમાધામીઓ વિકરાળ અને વજના તીર્ણ કાંટાઓથી ભરપૂર મોટાં શાલ્મલિવૃક્ષો ઉપર ચડાવીને દુઃખ આપે છે.
Jain Education International
.
For Personal & Private Use Only
www.jainelibrary.org