________________
પ૩
સમ્યકત્વ અધિકાર
ગાથાર્થ– આ જ ક્ષાયિકાદિ પાંચ પ્રકારનું સમ્યકત્વ નિસર્ગ અને ઉપેદશ એવા બે ભેદથી દશ પ્રકારનું છે. અથવા શાસ્ત્રમાં નિસર્ગરુચિ આદિ દશ પ્રકારનું સમ્યક્ત્વ કહ્યું છે.
વિશેષાર્થ– ક્ષાયિક વગેરે પાંચ પ્રકારનું સમ્યકત્વ કોઈ જીવને નિસર્ગથી થાય તો કોઈ ગુરુ આદિના ઉપદેશથી થાય. અન્ય ગ્રંથોમાં ઉપદેશના સ્થાને અધિગમ શબ્દ છે. અધિગમ એટલે ગુરુનો ઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત. આથી અહીં પણ ઉપદેશ શબ્દના ઉપલક્ષણથી બાહ્ય નિમિત્તો સમજવા. આથી જ તર્ધાધિગમસૂત્રમાં પહેલા અધ્યાયના ત્રીજા સૂત્રમાં કહ્યું છે કે નિસર્ગ અથવા અધિગમ એ બે હેતુથી સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થાય છે. નિસર્ગ– બાહ્ય નિમિત્ત વિના સ્વાભાવિક અધિગમ- ગુરુઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત. કોઈ જીવને બાહ્ય નિમિત્ત વિના સ્વાભાવિક રીતે અને કોઈ જીવને ગુરુઉપદેશ આદિ બાહ્ય નિમિત્તથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.
સમ્યગ્દર્શનની ઉત્પત્તિ અંતરંગ અને બાહ્ય એમ બે નિમિત્તથી થાય છે. વિશિષ્ટ શુભ આત્મપરિણામ અંતરંગ નિમિત્ત છે. ગુરુઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત છે. આ બે નિમિત્તોમાં કેટલાક જીવોને બાહ્યનિમિત્ત વિના કેવળ અંતરંગ નિમિત્તથી સમ્યગ્દર્શન પ્રગટે છે. કેટલાક જીવોને બાહ્ય નિમિત્ત દ્વારા અંતરંગ નિમિત્તથી સમ્યગ્દર્શન પ્રગટે છે. આમ સમ્યગ્દર્શન બાહ્ય નિમિત્ત વિના પ્રગટે, પણ અંતરંગ નિમિત્ત વિના તો કોઈને પણ ન જ પ્રગટે. કેવળ અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમ્યગ્દર્શન તે નિસર્ગ સમ્યગ્દર્શન. બાહ્ય નિમિત્ત દ્વારા અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમ્યગ્દર્શન તે અધિગમ સમ્યગ્દર્શન. (૮૮) निस्सग्गु १ वएसरुई २, आणरुई ३ सुत्त ४ बीयरुइ चेव ५। अभिगम ६ वित्थाररूई ७, किरिया ८ संखेव ९ धम्मरुई १०॥८९॥ निसर्गोपदेशरुची आज्ञारुचिः सूत्र-बीजरुचिश्चैव ।
ધામ-વિતાવી ક્રિયા-સંક્ષેપ-ધર્મયઃ II ૮૧ ૨૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org