________________
૫૧
-
સમ્યકત્વ અધિકાર
કોઈક અભવ્ય કે ભવ્ય મિથ્યાષ્ટિજીવ અંગારર્દક આચાર્ય વગેરેની જેમ ધર્મકથાથી, દંભવાળા હોવા છતાં (બાહ્યથી સારા) આચરણથી કે કોઈક અતિશયથી તે પોતાનામાં પ્રગટેલી કોઈ વિશેષતાથી) શ્રોતામાં સમ્યકત્વને દીપાવ=પ્રકાશિત કરે તેનું આ સમ્યક્ત્વ દીપક છે. દીપક સમ્યકત્વનું બીજું નામ બંજક છે.
પૂર્વપક્ષ– મિથ્યાદષ્ટિને સમ્યકત્વ હોય એ વિરોધ છે. ઉત્તરપક્ષ- તમારી વાત સાચી છે. પણ અહીં કારણ-કાર્યભાવથી સમ્યકત્વ જાણવું. મિથ્યાષ્ટિનો જે પરિણામ છે તે પરિણામ સમ્યકત્વને
સ્વીકારનારના સમ્યકત્વના કારણભાવને પામે છે. કારણ કે તે સમ્યક્ત્વ મિથ્યાષ્ટિના તેવા પરિણામથી થાય છે. આથી કારણમાં (=મિથ્યાષ્ટિના તેવા પરિણામમાં) કાર્યનો(=સમ્યકત્વનો) ઉપચાર કરવાથી બધી આયુષ્ય છે” એની જેમ વિરોધ નથી. (૮૩).
खइयं १ खओवसमियं २, उवसमियं ३ वा हविज्ज सत्तखए। खइयमुदिण्णस्स खए, अणुदिण्णुवसमं खओवसमं ॥८४॥ क्षायिकं क्षायोपशमिकमौपशमिकं वा भवेत् सप्तक्षये।
क्षायिकमुदीर्णस्य क्षयेऽनुदीर्णोपशमं क्षायोपशमिकम् ।। ८४ ॥...... ९४६ - ગાથાર્થ અથવા ક્ષાયિક, લાયોપથમિક અને ઔપશમિક એમ ત્રણ પ્રકારનું સમ્યકત્વ છે. તેમાં સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી ચાર કષાય એમ સાત પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય થતાં ક્ષાયિક સમ્યકત્વ હોય, મિથ્યાત્વના ઉદય પામેલાં દલિકોનો ક્ષય કરવો, અર્થાત્ સત્તામાંથી નાશ કરવો અને ઉદય નહિ પામેલાં દલિકોનો ઉપશમ કરવો (=ઉદય ન થવા દેવો) એમ ક્ષયની સાથે ઉપશમ તે ક્ષયોપશમ. આવા ક્ષયોપશમથી પ્રગટ થતું સમ્યક્ત્વ ક્ષાયોપથમિક છે. (૮૪) मिच्छत्तस्स उवसमा, उवसंमं तं भणंति समयण्णू। तं उवसमसेढीए, आइमसम्मत्तलाभे वा ॥८५॥ मिथ्यात्वस्योपशमादौपशमिकं तद् भणन्ति समयज्ञाः । तंदुपशमश्रेण्यामादिमसम्यक्त्वलाभे वा ॥ ८५ ॥..
९४७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org