________________
૪૮
- સંબોધ પ્રકરણ : સમકિતનાં આ છ સ્થાનકોને સારી રીતિએ સમજવાં જરૂરી છે, કારણ કે–એ છ પ્રકારની માન્યતા જેનામાં શુદ્ધ હોય તે જીવમાં જ સમ્યકત્વ રહે છે અને તેથી જ એ છને સમ્યકત્વનાં સ્થાનો કહ્યાં છે. (૭૮) तंचेगविहं १ दुविहं २, तिविहं ३ चउ ४ पंचहा ५ तहा नेयं । तत्थेगविहं सम्मं, रुइमित्तं संमयं तित्थे ॥७९॥ तच्चैकविधं द्विविधं त्रिविधं चतुष्पञ्चधा तथा ज्ञेयम् । . . . નૈવવિધ સ ર્વ માત્ર સંમતં તીર્થે | ૭૧ છે ....... ....૨૪ ગાથાર્થ– તે સમ્યકત્વ એક પ્રકારનું, બે પ્રકારનું, ત્રણ પ્રકારનું, ચાર પ્રકારનું અને પાંચ પ્રકારનું જાણવું. તેમાંજિનોક્ત જીવાદિતાત્ત્વિક પદાર્થોમાં રુચિ શ્રદ્ધા એ એક પ્રકારનું સમ્યકત્વ જિનશાસનમાં સંમત છે. (૭૯).
दुविहं दव्वे १ भावे २, निच्छय १ ववहारओ य २ अहवा वि । दव्वं अयाणमाणे, भावे पुण जाणमाणे य ॥८०॥ द्विविधं द्रव्ये भावे निश्चय-व्यवहारतश्चाथवाऽपि।। દ્રવ્યમનાનતિ માટે પુનર્નાતિ વ II ૮૦ | ... .......... ૨૪ર
ગાથાર્થ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારનું અથવા નિશ્ચયથી અને વ્યવહારથી એમ બે પ્રકારનું સમ્યક્ત્વ છે. જીવાદિ પદાર્થોને નહિ જાણનારમાં દ્રવ્ય સમ્યકત્વ હોય અને જીવાદિ પદાર્થોને જાણનારમાં ભાવ સમત્વ હોય.
વિશેષાર્થ– “જિનવચન જ તત્ત્વ=સત્ય છે, જિનવચન સિવાય કોઈ વચન તત્ત્વ નથી.” એવી રુચિ એ દ્રવ્ય સમ્યકત્વ છે. માત્ર રુચિરૂપ આ સમ્યકત્વ વિશિષ્ટજ્ઞાનથી રહિત જીવને હોય છે. વસ્તુને યથાવસ્થિત જણાવનારા (નય-નિક્ષેપ-પ્રમાણાદિથી વિશુદ્ધ) જ્ઞાનપૂર્વકની શ્રદ્ધાથી વિશુદ્ધ સમ્યકત્વ ભાવ=નૈશ્ચયિક સમ્યક્ત્વ છે. કારણ કે તે સમ્યકત્વ સ્વકાર્ય (=પ્રશમ વગેરે) કરે છે.
જ્યારે ચિંતામણી વગેરે કોઈ રત્નનું થોડુંક જ્ઞાન હોય ત્યારે તેમાં જેટલી (આ ઉપાદેય છે એવી) શ્રદ્ધા હોય, તેજ રત્નનું વિશેષજ્ઞાન થાય છે, ત્યારે તેમાં પૂર્વ કરતાં અનંતગણી શ્રદ્ધા થાય છે. માટે પૂર્વોક્ત ભાવસમ્યકત્વનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org