________________
૩૮
સંબોધ પ્રકરણ ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને શ્રી ગૌતમસ્વામીજી પૂછે છે કેહે ભગવંત! તીર્થને તીર્થ કહેવાય કે તીર્થકરને? ભગવાન જવાબ આપે છે કે–હે ગૌતમ! અરિહંત તો નિયમા (તીર્થના સ્થાપક) તીર્થકર છે અને તેઓએ સ્થાપેલો “સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘ અથવા પહેલા શ્રીગણધર' એ તીર્થ કહેવાય છે.
એ દ્રવ્ય અને ભાવ બંને પ્રકારનાં તીર્થોની યાત્રા-પૂજાધિરૂપે કે વિનયાદિરૂપે સેવા કરવી, તેને તીર્થસેવા કહી છે..
(૪) સ્થિરતા– શ્રી જિનેશ્વરદેવના ધર્મમાં અન્ય આત્માઓને સ્થિર કરવા અથવા અન્યદર્શનીઓના ચમત્કારાદિ મહિમાને જોવા છતાં પોતે જૈનધર્મથી ચલાયમાન ન થવું, તેને સ્થિરતા કહી છે.
(૫) ભક્તિ–શ્રી જિનપ્રવચનનો-સંઘનોવિનયકરવો, તેમનીયાવચ્ચ વગેરે કરવું તેને ભક્તિ કરી છે. આ પાંચેય ગુણો (શરીરને આભૂષણોની, જેમ) સમત્વને શોભાવનારા હોવાથી શ્રેષ્ઠ છે, તેનાથી સમ્યકત્વ શોભે છે. માટે તેને ભૂષણો કહ્યાં છે. (૭૨) (પ્રવચન સારોદ્ધાર ગા-૯૩૫)
लक्खिज्जइ सम्मत्तं, हिययगयं जेहि ताई पंचेव। उवसम १ संवेगो २ तह, निव्वेय ३ णुकंप.४ अत्थिक्कं५॥७३॥ लक्ष्यते सम्यक्त्वं हृदयगतं यैस्तानि पञ्चैव। ૩પશન: સંવે તથા નિર્વાનુHડડસ્તિવનિ I કરૂ ....રૂવ ગાથાર્થ– હૃદયમાં રહેલું સમ્યકત્વ જેમનાથી ઓળખાય=જણાય તે લક્ષણો કહેવાય. સમ્યક્ત્વનાં ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ લક્ષણો છે.
વિશેષાર્થ– (૧) શમ– પ્રશમ, અનંતાનુબંધી કષાયોના અનુદયને શમ કહેવાય છે. આવો શમ સ્વાભાવિક રીતે (આત્મામાં કષાયો મંદ પડવાથી) કે કષાયો વગેરેનાં કડવાં ફળો (દુ:ખો)ને જોવાથી થાય છે. કહ્યું છે કે
पयईए कम्माणं, नाऊणं वा विवागमसुहंति । अवरद्धे वि न कुप्पइ, उवसमओ सव्वकालंपि ॥१॥
(વિંશિકા છઠ્ઠી, ગાથા-૧૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org