________________
૨૮
સંબોધ પ્રકરણ એકવાર થોડું ભાતું લઈને બૌદ્ધસાધુઓની સાથે ઉજ્જૈની નગરી તરફ . ચાલ્યો. તેથી બૌદ્ધ સાધુઓએ તેને મોક્ષ માટે બુદ્ધે કહેલા ધર્મનો ઉપદેશ આપ્યો. તેણે બૌદ્ધ સાધુઓને આ પ્રમાણે કહ્યું હે ભિક્ષુકો ! બુદ્ધ કહેલો ધર્મ જૂઠા માણસે કરેલા ધર્મની જેમ મોક્ષ સાધક નથી. કારણ કે તે ધર્મ આપ્તપુરુષે કહ્યો નથી. એકાંત ક્ષણિક્તાદની દેશના આપવાના કારણે બુદ્ધ આત નથી. કારણ કે–“પદાર્થો એકાંતે ક્ષણિક છે” એ સિદ્ધાંત પ્રત્યક્ષથી બાધિત છે, અર્થાત્ પદાર્થો એકાંતે ક્ષણિક હોય (=ક્ષણે ક્ષણે નાશ પામતા હોય) તેવું આંખોથી જોવામાં આવતું ન હોવાથી પદાર્થો એકાંતે ક્ષણિક છે એવો બુદ્ધનો સિદ્ધાંત પ્રત્યક્ષથી ઘટતો નથી. એકાંત ક્ષણિકત્વમાં પદાર્થોનો બોધ પણ ન ઘટી શકે. (કારણ કે બીજી જ ક્ષણે બોધ કરનાર જીવ બદલાઇ જાય છે. આથી જ બીજી ક્ષણે બુદ્ધ પોતે કરેલી આજ્ઞા વગેરેને ભૂલી જાય છે.) આજ્ઞા વગેરેને ભૂલી જનારાઓ: ત્રિભુવનમાં કેવી રીતે પ્રસિદ્ધ થઈ શકે?, અર્થાતુ ન થઈ શકે. ઇત્યાદિ યુક્તિઓથી તેમને એવા નિરુત્તર કરી દીધા કે જેથી તેમણે ફરી ક્યારે ય ધર્મસંબંધી વિચારણા ન કરી. એક વાર અર્ધા રસ્તે તેનું ભાતું ખૂટી ગયેલું જોઇને બૌદ્ધ સાધુઓએ તેને કહ્યું કે અમારું ભાતું લે. રસ્તામાં તને અમે જ ભોજન આપીશું, અને તેણે વિચાર કર્યા વિના તેમનું વચન માની લીધું. એક દિવસ તે બૌદ્ધ સાધુઓની સાથે ઉજૈનીનગરીમાં આવી પહોંચ્યો. ત્યાં તેને આહારના દોષથી વિસૂચિકા રોગ (=ખોરાકના અજીર્ણથી પેટપીડા વગેરે ઉપદ્રવ) થયો. નમસ્કાર મહામંત્રના સ્મરણમાં પરાયણ બનેલો તે વિસૂચિકા રોગથી શીઘ મૃત્યુ પામ્યો. બૌદ્ધ સાધુઓએ તેનું શરીર પોતાના કપડાથી ઢાંકી દીધું. દેવોમાં ઉત્પન્ન થયેલા તેણે તત્કાલ વિચાર્યું કે હું દેવોમાં ઉત્પન્ન થયો એ કયા કર્મનું ફળ છે? આ પ્રમાણે વિચારતા તેણે પ્રગટેલા વિર્ભાગજ્ઞાનથી બૌદ્ધ સાધુઓના કપડાથી વીંટળાયેલું પોતાનું જ શરીર જોયું. પોતાના શરીરને બૌદ્ધ સાધુઓના વસ્ત્રથી વીંટાયેલું જોઈને તેણે ફરી પણ વિચાર્યું કે, હું દેવભવને પામ્યો એ બૌદ્ધ સાધુઓની સેવાનો પ્રભાવ છે. આ પ્રમાણે વિચારીને તે ગુપ્ત રહીને જ દિવ્યહાથથી બૌદ્ધ સાધુઓને ભક્તિથી આહાર આપવા લાગ્યો. આથી બૌદ્ધોની પ્રભાવના થઈ. જૈનેતરો તે વખતે આમના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org