SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ : - સંબોધ પ્રકરણ પદાર્થના વિષયમાં શંકા પેદા થઈ જાય અને તેથી શંકા અતિચાર લાગી. જાય એ સંભવિત છે. પણ પછી તુરત તખેવ સંä નિશિવં જ નહિં પc="જિને કહેલું જ તત્ત્વ શંકા વિનાનું સાચું છે એ આગમ વચનને યાદ કરીને એ શંકા દૂર કરવી જોઇએ. જો આ શંકા દૂર કરવામાં ન આવે તો તેમાંથી સશયિક મિથ્યાત્વ આવી જવાની પૂર્ણ સંભાવના છે. પહેલા શંકા અતિચાર ઉત્પન્ન થાય, પછી સાવધ ન રહે તો જિનવચનની પ્રામાણિકતામાં સંશય ઉત્પન્ન થાય અને તેનાથી સાંશયિક મિથ્યાત્વ ઉત્પન્ન થાય. શંકા અતિચાર ચોથા ગુણસ્થાને હોય અને સાંશયિક મિથ્યાત્વ પહેલા ગુણસ્થાને હોય. આમ શંકા અતિચાર અને સાંશયિક મિથ્યાત્વમાં ભેદ છે. (૫) અનાભોગિક– અનાભોગ એટલે અજ્ઞાનતા. અજ્ઞાનતાના યોગે તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા-શ્રદ્ધાનો અભાવ) કે વિપરીત શ્રદ્ધા તે અનાભોગિક મિથ્યાત્વ. અહીં સમજણ શક્તિનો અભાવ મુખ્ય કારણ છે. આ મિથ્યાત્વ એકેંદ્રિય આદિને તથા કોઈ એક વિષયમાં અનાભોગના કારણે વિપરીત શ્રદ્ધા ધરાવનાર સાધુ યા શ્રાવકને હોય છે. અનાભોગના કારણે વિપરીત શ્રદ્ધા ધરાવનારને જો કોઈ સમજાવે તો તે પોતાની ભૂલ સુધારી લે છે. કારણ કે તે આગ્રહરહિત હોય છે. અન્યના સમજાવવા છતાં સમજાવનારની દલીલ વગેરે તેને સત્ય ન જણાય તેથી વિપરીત શ્રદ્ધા ધરાવે એ બને. પણ સમજાવનારની દલીલ વગેરે સત્ય છે એમ જણાયા પછી પોતાની ભૂલનો અવશ્ય સ્વીકાર કરી લે. (૪૭) मिच्छत्तं पुण सव्वाणत्थाण निबंधणं मुणेयव्वं । तत्थाभिग्गहियं पुण, कविलाईणं मुणेयव्वं ॥४८॥ मिथ्यात्वं पुनः सर्वानानां निबन्धनं ज्ञातव्यम्। તત્રમગૃહીત પુન: પિતાવીનાં જ્ઞાતવ્યમ્ II ૪૮ I .. ગાથાર્થ-મિથ્યાત્વને સર્વ અનર્થોનું કારણ જાણવું. પાંચ મિથ્યાત્વોમાં અભિગૃહીત મિથ્યાત્વ કપિલ (સાંખ્ય દર્શનના પ્રવર્તક મુનિ) વગેરેને જાણવું. (૪૮) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy