SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ : : સમ્યકત્વ અધિકાર યદ્યપિ અભિગ્રહ અને અભિનિવેશ એ બેનો અર્થ પકડ છે. એટલે શબ્દાર્થની દષ્ટિએ બંનેનો અર્થ એક છે. છતાં બંનેમાં પકડના હેતુમાં ભેદ હોવાથી અર્થનો ભેદ પડે છે. આભિગ્રહિક મિથ્યાત્વમાં વિપરીત સમજણથી પકડ છે. જ્યારે આભિનિવેશિકમાં અંદરથી (હૃદયમાં) સત્ય હકીકતને સમજવા છતાં “મારું માનેલું મારું કહેવું હું કેમ ફેરવું? ઇત્યાદિ અહંકારના પ્રતાપે પોતાની અસત્ય માન્યતાને પકડી રાખે છે. બીજું, આભિગ્રહિકમાં સર્વતત્ત્વો પ્રત્યે વિપરીત માન્યતા હોય છે, જયારે આભિનિવેશિકમાં કોઈ એકાદ તત્ત્વ વિશે કે કોઈ એક વિષયમાં વિપરીત માન્યતા હોય છે. આભિગ્રહિક મિથ્યાત્વ જૈનદર્શન સિવાય બૌદ્ધ આદિ કોઈ એક દર્શનના આગ્રહવાળાને હોય છે. જ્યારે આભિનિવેશિક મિથ્યાત્વ જૈનદર્શનને પામેલાને હોય છે. જેમ કે જમાલિ. (૪) સાંશયિક- શ્રીસર્વશદેવે કહેલા જીવાદિ તત્ત્વો સત્ય હશે કે નહિ એવી શંકા સશયિક મિથ્યાત્વ છે. અહીં શ્રીસર્વશદેવ ઉપર અવિશ્વાસ એ મુખ્ય કારણ છે. શ્રી સર્વશદેવ ઉપર પૂર્ણ વિશ્વાસ ન હોવાના કારણે તેમની વચનની પ્રામાણિકતાની બાબતમાં સંશય થાય છે, અને તેથી તેમણે કહેલા જીવાદિ તત્ત્વો સત્ય હશે કે નહિ એવી શંકા થાય છે. સાંશયિક મિથ્યાત્વ અને શંકા અતિચારમાં ભેદ– પ્રશ્ન-સાંશયિક મિથ્યાત્વ અને શંકા અતિચાર એ બેમાં શો ભેદ છે? ઉત્તર–શ્રી સર્વજ્ઞ દેવે કહેલા જીવાદિ તત્ત્વો સત્ય હશે કે નહિ? એવી શંકા સશયિક મિથ્યાત્વ છે. પોતાની મતિમંદતાથી આગમોક્ત પદાર્થો ન સમજી શકવાથી અમુક વસ્તુ અમુક સ્વરૂપે હશે કે નહિ ઈત્યાદિ શંકા તે શંકા અતિચાર છે. આ વ્યાખ્યાઓથી એ સ્પષ્ટ થાય છે કે સોશયિક મિથ્યાત્વમાં જિનવચનની પ્રામાણિકતામાં શંકા છે અને શંકા અતિચારમાં શાસ્ત્રમાં વર્ણવેલા પદાર્થો અંગે શંકા છે. જો આત્મા સાવધ ન રહે તો શંકા અતિચાર થયા પછી સાંશયિક મિથ્યાત્વ ઉત્પન્ન થઈ જાય. ક્ષાયોપથમિક સમ્યગ્દર્શનવાળા આત્માને (શ્રાવક કે સાધુને) મિથ્યાત્વનો પ્રદેશોદય રહેલો હોવાથી કોઈ વાર સૂક્ષ્મ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy