SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭. મિથ્યાત્વ અધિકાર एतेषां धर्मरुचिर्धातुक्षयरोगिणो यथाऽन्ये । તથા બિનધર્મે મિથ્યાણિતિ ધર્મ તે મિથ્થા II શરૂ ............ ૨૪૨૨ ગાથાર્થ– જેવી રીતે ધાતુક્ષયના રોગીને અન્નમાં રુચિ ન થાય, તેવી રીતે આ મિથ્યાષ્ટિઓને જિનધર્મમાં રુચિ ન થાય. મિથ્યા=ખોટું માને છે તેથી મિથ્યાદષ્ટિ એમ કહેવાય છે. (૧૩) सइ पंचरूपभावा, नीली कसिणित्तणं खु नो चयइ । दव्वपरिकम्मणाहि, तहा अभव्वा ण मिच्छत्तं ॥१४॥ सती पञ्चरूपभावा नीली कृष्णत्वं खलु न त्यजति । દ્રવ્યપરિવર્મળાબતથાડકવ્યા ન મિથ્યાત્વમ્ I ૨૪ . ....... ૪૪૦ ગાથાર્થ– જેવી રીતે દ્રવ્યના સંસ્કારોથી નીલી (=ગળી અથવા ગળીથી રંગેલ વસ્ત્ર વગેરે કોઈ વસ્તુ) પાંચ વર્ણવાળી થવા છતાં કૃષ્ણવર્ણનો ત્યાગ કરતી નથી તેમ અભવ્ય જીવો શાસ્ત્રવાંચન, જિનદર્શન, ચારિત્રપાલન વગેરે દ્રવ્ય(=બાહ્ય) સંસ્કારોથી પણ મિથ્યાત્વનો ત્યાગ કરતા નથી. (૧૪) . जह पारसफासेण वि, कणयत्तं नो लहिज्ज उवधाऊ । एवं जुग्गोपायाण-मंतराऽभव्वजीवो वि ॥१५॥ यथा पारसस्पर्शेनापि कनकत्वं न लभेतोपधातुः । વં યોગ્યોપાલાનમન્તરાડમચનીવોડ િ ૧ / ૨૪૪૨ ગાથાર્થ– જેવી રીતે (લોઢાનો કાટ વગેરે) હલકી ધાતુ પારસમણિના સ્પર્શથી પણ સુવર્ણપણાને પામતી નથી, એમ યોગ્ય ઉપાદાન વિના અભવ્ય જીવ પણ સમ્યકત્વને પામતો નથી. વિશેષાર્થ– કારણ ઉપાદાનકારણ અને સહકારી કારણ એમ બે પ્રકારે છે. તેમાં જે કારણ પોતે જ કાર્યરૂપે પરિણમે (=બની જાય) તે ઉપાદાન ૧. મુદ્રિત પ્રતમાં અહીં – મન્ના મિત્ર એવો પાઠ છે. પણ બે હસ્તલિખિત પ્રતોમાં ન મ#g મિષ્ઠ એવો પાઠ છે. રમણ પાઠ પ્રમાણે અર્થ ઘટતો નથી. આથી અહીં = પન્ન ભિય એ પાઠ લીધો છે. જો કે પ્રતમાં ગ છે જે નથી. પણ લેખક દોષથી અનુસ્વાર રહી ગયો હોય એવો સંભવ છે. અથવા પ્રાકૃતમાં અનુસ્વાર હોય તો લોપ કરી શકાય છે, અને ન હોય તો લાવી શકાય છે. - આચાર્ય રાજશેખરસૂરિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy