SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ અધિકાર ૧૩ પુદ્ગલોને વેદે=અનુભવે ત્યારે વેદક સખ્યત્વ હોય છે. આથી જ વેદક સમ્યકત્વનો કાળ એક સમયનો છે. વેદક સમ્યકત્વનો એક સમય જેટલો કાળ પૂર્ણ થતાં જ ત્રણ પ્રકારના દર્શનમોહનો ક્ષય થવાથી જીવ ક્ષાયિક સમ્યકત્વ પામે છે. (૨૧) अंतमुहत्तोवसमो, छावलि सासाण वेयगो समओ। साहियतित्तीसायर, खइओ दुगुणो खओवसमो ॥२२॥ अन्तर्मुहूर्तोपशमः षडावलिसास्वादनं वेदकः समयः । સધઝયરિંગણાત્મા ક્ષારો દ્વિગુણ: સોપશમ: II રર ........૮૮૪ ગાથાર્થ ઔપથમિક સમ્યકત્વનો કાળ એક અંતર્મુહૂર્ત છે. સાસ્વાદનનો કાળ છ આવલિકા છે. વેદકનો કાળ એક સમય છે. સાયિકનો કાળ સાધિક તેત્રીશ સાગરોપમ છે અને ક્ષાયોપશમિકનો કાળ સાધિક છાસઠ સાગરોપમ છે. વિશેષાર્થ– ક્ષાયિક સમ્યગ્દષ્ટિ મરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં જાય અને પછીના ભવમાં મોક્ષમાં જાય. સર્વાર્થસિદ્ધમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય છે. મનુષ્યભવનો કાળ અધિક આ રીતે ક્ષાયિક સમ્યક્ત્વનો કાળ એક જીવને આશ્રયીને સાધિક તેત્રીસ સાગરોપમ થાય. કોઈ લાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવ બે વખત વિજયાદિ ચારમાંથી કોઈ એક અનુત્તર દેવલોકમાં જાય કે ત્રણ વાર અમ્રુત દેવલોકમાં ઉત્પન્ન થાય તો અનુત્તરમાં ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગરોપમ હોવાથી બે ભવમાં અને અશ્રુતમાં ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ સાગરોપમ હોવાથી ત્રણ ભવમાં છાસઠ સાગરોપમ થાય. આમાં જેટલા મનુષ્યભવો કરે તેટલો કાળ અધિક થાય. આમ એક જીવની અપેક્ષાએ લાયોપથમિક સમ્યકત્વનો કાળ સાધિક છાસઠ સાગરોપમ થાય. (૨૨). वेयगखाइगमिक्कसि, वारमसंखिज्जओ खओवसमो। साइअणंतो कालो, खइयस्स य सिद्धभावंमि ॥२३॥ वेदकक्षायिकमेकशो वारमसंख्येयकं क्षयोपशमः । સના વાત: ક્ષયિવસ્થા સિદ્ધમાવે II રરૂ II ... ૮૮૬ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy