________________
२६२ .
સંબોધ પ્રકરણ
यथा चिरसञ्चितमिन्धनमनलः पवनसहितो द्रुतं दहति। तथा कर्मेन्धनममितं क्षणेन ध्यानानलो दहति ॥ १०५ ।। .......... १४२२
ગાથાર્થ જેમ પવન સહિત અગ્નિ દીર્ધકાળના પણ એકત્રિત કરેલા ઇંધણને શીધ્ર ભસ્મીભૂત કરી દે છે, એમ ધ્યાનરૂપી અગ્નિ પણ ક્ષણવારમાં અપરિમિત કર્મબંધનને બાળી દે છે. (૧૦૫) जह वा घणसंघाया, खणेण पवणाहया विलिज्जति। झाणपवणावहूया, तह कम्मघणा विलिज्जति ॥१०६ ॥ यथा वा घनसङ्घाताः क्षणेन पवनाहता विलीयन्ते। .. ध्यानपवनावधूतास्तथा कर्मघना विलीयन्ते ।। १०६ . .. १४२३ ગાથાર્થ અથવા જેવી રીતે પવનથી ધકેલાયેલા વાદળના સમૂહ ક્ષણવારમાં વિનષ્ટ થઈ જાય છે એ રીતે ધ્યાનરૂપી પવનથી હડસેલાયેલા કર્મવાદળો નાશ પામી જાય છે. (૧૦)
न कसायसमुत्थेहिं, वाहिज्जइ माणसेहिं दुक्खेहि। ईसाविसायसोगाइएहिं झाणोवगयचित्तो ॥१०७ ॥ न कषायसमुत्थैर्बाध्यते मानसैर्दुःखैः । इर्ष्या-विषाद-शोकादिकैर्ध्यानोपगतचित्तः ।। १०७ ॥.. ....... १४२४
ગાથાર્થ ધ્યાનમાં લાગેલા ચિત્તવાળો (આત્મા) કષાયોથી ઉદ્ભવતા માનસિક દુઃખો ઇર્ષા, ખેદ, શોક આદિથી પીડાતો નથી. (૧૦૭) सीआयवाइएहि, य सारीरेहिं सुबहुप्पगारेहि।। झाणसुनिच्चलचित्तो, न वाहिज्जइ निज्जरापेही ॥१०८ ॥ शीतातपादिकैश्च शारीरैः सुबहुप्रकारैः । ध्यानसुनिश्चलचित्तो न बाध्यते निर्जरापेक्षी ॥ १०८ . ...... १४२५
ગાથાર્થ– ધ્યાનથી સારી રીતે નિશ્ચળ (ભાવિત) ચિત્તવાળો શીતતાપ આદિ અનેકાનેક પ્રકારના શારીરિક દુઃખો)થી પીડાતો નથી, ચલાયમાન થતો નથી, કેમ કે એ કર્મનિર્જરાની અપેક્ષાવાળો છે. (૧૦૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org