________________
સમ્યકત્વ અધિકાર उपशमकश्रेणिगतस्य भवत्यौपशमिकं तु सम्यक्त्वम् । જો વાતત્રિપુસ્રોડક્ષfપતમિથ્યાત્વો તમતે સ ર્વમ્ II & I . ૮૭૦
ગાથાર્થ– ઉપશમશ્રેણિમાં પ્રવેશેલા મનુષ્યને પથમિક જ સમ્યકત્વ હોય છે. અથવા જેણે ત્રણ પુંજ કર્યા નથી અને મિથ્યાત્વનો ક્ષય કર્યો નથી તે જીવ ઔપથમિક જ સમ્યક્ત્વને પામે છે.
વિશેષાર્થ– ઉપશમથી થયેલું સમ્યક્ત્વ તે ઔપશમિક સમ્યક્ત્વ. અનંતાનુબંધી ચાર કષાયોના અને દર્શનમોહનીયના ઉપશમથી થયેલું હોવાથી પથમિક સમ્યકત્વ છે.
તેવા પ્રકારના પરિણામથી યુક્ત હોવાથી જેણે સમ્યકત્વ, મિથ્યાત્વ અને સમ્યકત્વ-મિથ્યાત્વ એ ત્રણ પુંજ કર્યા નથી અને મિથ્યાદર્શનનો ક્ષય કર્યો નથી તે જીવ જે સમ્યકત્વને પામે છે તે પણ પથમિક જ છે.
જેણે મિથ્યાત્વનો ક્ષય કર્યો નથી” એવું વિશેષણ ક્ષાયિક સમ્યક્ત્વનો વિચ્છેદ કરવા માટે છે. (કારણ કે જેણે મિથ્યાત્વનો ક્ષય કર્યો છે તે જીવ ક્ષાયિક સમ્યકત્વને પામે છે.) (૮)
खीणमि उद्दण्णंमि, अणुइज्जते असेसमिच्छत्ते। ___ अंतोमुहुत्तमित्तं, उवसमसम्म लहइ जीवो॥९॥
क्षीणे उदीर्णेऽनुदीर्यमाणे च शेषमिथ्यात्वे। અન્તર્મુહૂર્તમ પરમ સ ર્વ જ્ઞાતિ નીવ: II 3 I..........૮૭૨
ગાથાર્થ– ઉદયમાં આવેલું મિથ્યાત્વ ક્ષીણ થયે છતે અને શેષ મિથ્યાત્વ ઉદયમાં ન આવી રહ્યું હોય ત્યારે જીવ અંતર્મુહૂર્ત સુધી ઔપશમિક સમ્યક્ત્વને પામે છે. વિશેષાર્થ– ક્ષીણ થયે છતે– અનુભવથી જ ભોગવાયે છતે.
ઉદયમાં ન આવી રહ્યું હોય ત્યારે– મંદ પરિણામ હોવાના કારણે શેષ મિથ્યાત્વ ઉદયમાં ન આવી રહ્યું હોય ત્યારે, અર્થાત્ શેષ મિથ્યાત્વનો ઉદય અટકી ગયો હોય ત્યારે.
અંતર્મુહૂર્ત સુધી- અંતર્મુહૂર્તથી વધારે કાળ સુધી ઔપશમિક સમ્યકત્વ રહે એ અંગે નિયામક કોઈ ન હોવાથી અંતર્મુહૂર્ત પછી અવશ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org