________________
સંબોધ પ્રકરણ અંતરકરણની ઉપરની સ્થિતિનો. તેમાં પ્રથમ સ્થિતિમાં=અંતરકરણની નીચેની સ્થિતિમાં મિથ્યાત્વનો ઉદય હોવાથી જીવ મિથ્યાદષ્ટિ છે. આ સ્થિતિનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અંતર્મુહૂર્ત પ્રમાણ પ્રથમ સ્થિતિ સમાપ્ત થતાં અંતરકરણ શરૂ થાય છે. અંતરકરણના પ્રથમ સમયથી જ
જીવ ઔપશમિક સમ્યકત્વ પામે છે. કારણ કે અંતરકરણમાં મિથ્યાત્વના દિલિકો ન હોવાથી મિથ્યાત્વકર્મના ઉદયનો અભાવ છે. જેમ દાવાનલ સળગતાં સળગતાં ઉખર ભૂમિ પાસે આવે છે ત્યારે શાંત થઈ જાય છે તેમ મિથ્યાત્વકર્મ અંતરકરણ પાસે આવતાં શાંત થઈ જાય છે.
અંતરકરણમાં રહેલો જીવ મિથ્યાત્વ મોહનીયનાં કર્મચલિકોને શુદ્ધ કરે છે. આથી તે દલિકોના ત્રણ પુંજો બને છે. ૧. શુદ્ધપુંજ, ૨. અર્ધશુદ્ધપુંજ, ૩. અવિશુદ્ધપુંજ. આ ત્રણ પુંજના ત્રણ નામ પડે છે. શુદ્ધપુંજનું સમ્યકત્વમોહનીયકર્મ, અર્ધશુદ્ધપુંજનું મિશ્રમોહનીયકર્મ અને અવિશુદ્ધપુંજનું મિથ્યાત્વમોહનીયકર્મ નામ છે. જેમ નશો પેદા કરનાર કોદરાને શુદ્ધ કરતાં તેમાંથી કેટલોક ભાગ શુદ્ધ થાય છે, કેટલોક ભાગ અર્ધશુદ્ધ થાય છે અને કેટલોક ભાગ અશુદ્ધ જ રહે છે; તેમ અહીં મિથ્યાત્વના દલિકોને શુદ્ધ કરતાં કેટલાંક દલિકો શુદ્ધ થાય છે, કેટલાક અર્ધશુદ્ધ થાય છે અને કેટલાક અશુદ્ધ જ રહે છે. શુદ્ધ દલિકો એ શુદ્ધપુંજ, અર્ધશુદ્ધ દલિકો એ અર્ધશુદ્ધપુંજ અને અશુદ્ધ દલિકો એ અશુદ્ધપુંજ.
અંતરકરણનો કાળ સમાપ્ત થતાં જો શુદ્ધપુંજનો અર્થાત્ સમ્યકત્વ મોહનીયનો ઉદય થાય તો જીવ ક્ષાયોપથમિક સમ્યકત્વ પામે છે. અર્ધશુદ્ધપુંજનો અર્થાત્ મિશ્ર મોહનીયનો ઉદય થાય તો મિશ્ર સમ્યક્ત્વ પામે છે. અશુદ્ધપુંજનો અર્થાત્ મિથ્યાત્વ મોહનીયનો ઉદય થાય તો મિથ્યાત્વ પામે છે. (૪-૫-૬-૭)
उवसामगसेढिगयस्स होइ उवसामियं तु सम्मत्तं ।
जो वा अकयतिपुंजो, अखवियमिच्छो लहइ सम्मं ॥८॥ ૧. પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા રરમી તથા કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા ૧૯મીની ટીકામાં અનિવૃત્તિકરણના ચરમ સમયથી અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વનાં દલિકોને શુદ્ધ કરે છે એવા ભાવનું જણાવ્યું છે. કર્મગ્રંથ, લોકપ્રકાશ વગેરે પ્રસિદ્ધ ગ્રંથોમાં અંતરકરણમાં પ્રવેશ કરે એ સમયથી(=ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિના પહેલા સમયથી) અંતર્મુહૂર્ત સુધી કર્મદલિકોને શુદ્ધ કરે એમ જણાવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org