________________
૧૯૨ -
સંબોધ પ્રકરણ વાસી ભાત વગેરે રસોઇ), કાલાતીત પકવાન્ન, બે દિવસ રાત્રિ) વ્યતીત થઈ ગયા પછીનું દહીં તથા છાશ, વગેરે બધું ચલિત રસ ગણાય છે; તેમાં પકવાન્ન વગેરેને અંગે શાસ્ત્રમાં જણાવ્યું છે કેવગેરે કાંઈ ન નાખ્યું હોય તો જ વધારેમાં વધારે ત્રણ દિવસ ખપે છે, પાણી કે દાળીયા જેવું કાંઈ પણ નાખ્યું હોય તો તે જ દિવસે ભક્ષ્ય છે. ચવાણું-સેવ, ગાંઠીયા, ચણાની દાળ વગેરે બધું બજારનું અભક્ષ્ય થવાનો સંભવ છે, ઘેર વિવેકપૂર્વક કરેલું જ વિશ્વાસપાત્ર હોવાથી ભક્ષ્ય છે, કારણ કે–વેપારીએ બનાવેલાનો કાળ નક્કી હોતો નથી. બટેટાં વગેરેનાં ભજીયાં જેમાં બનાવ્યાં હોય તે જ તેલ ચવાણામાં વપરાય છે. લાડુ-તળ્યા વિનાના ચૂરમાના બીજે જ દિવસે વાસી થાય. તળેલા ચૂરમાના લાડુ પણ મુઠીયા ભાંગીને ફરી ચૂરીને શેકીને બનાવેલા હોય તો બીજે દિવસે ખપે. મુઠીયાં કાચા રહે તો વાસી થવા સંભવ છે. કોઈ કોઇ મોતીયા, કણસઈ વગેરે લાડ પણ ચાસણી કાચી હોવાના કારણે કે બુંદી કાચી રહેવાના કારણે બે-ચાર દિવસમાં ગંધાય છે અને ભાંગતાં અંદર સફેદ ફુગ-અનંતકાય જણાય છે. રસોઈ-ઉનાળામાં સખત ગરમીને લીધે ઉતરી જવાથી-બેસ્વાદ થાય તો તેનો સ બદલાઈ જવાનો સંભવ છે, ગરમ ગરમ રોટલા-રોટલી-પૂરી વગેરે પણ વાસણમાં ભરી તરત ઢાંકવાં નહિ, પરંતુ થોડી વાર પછી ઢાંકવા. છાશમાં રાખેલા ભાતનો કાળ આઠ પ્રહરનો હોવાથી : સાંજે રાંધ્યો હોય તે બીજે દિવસે ખપે, પણ સવારનો રાંધેલો તો તે જ દિવસે સૂર્યાસ્ત સુધી ખપે, કારણ કે–રાત્રિએ રાત્રિભોજનનો દોષ લાગે અને બીજે દિવસે સવારે જ કાળ પૂર્ણ થઈ જાય. તે પણ જો બૂડાબૂડ જાડી છાશમાં દાણે દાણા છૂટા થઈ જાય તેમ છાંટેલો હોય તો જ ખપે, નહિ તો અભક્ષ્ય થાય, તેમાં ચાર આંગળ છાશ ઉપર તરતી હોવી જોઈએ, ચોમાસામાં તો એ પ્રમાણે કરતાં પણ દોષ લાગવા સંભવ છે. કોઈ કોઈ પ્રદેશમાં આજે બનાવેલા રોટલા-ભાખરી વગેરે બીજે દિવસે ખાવાનો રિવાજ છે, તે વાસી હોવાથી અભક્ષ્ય છે. સેકેલા રોટલા પણ ભાંગતાં ખાખરા કે પાપડની જેમ અવાજ થાય તેવા આકરા સેકાયેલા હોય તો જ વાસી ન થાય. રાંધેલું વધી પડ્યા પછી લોભથી-કપણતાથી વાસી રાખવાનો અને ખાવાનો પણ પ્રસંગ આવી જાય છે. કૃપણતા હોય તો પ્રમાણયુક્ત રાંધવું, નહિ તો વધેલુ અનુકંપાદાન તરીકે ઉપયોગ કરવો ઉચિત છે. દહીં-દૂધમાં ખટાઈ નાખી મેળવેલું દહીં ૧૬ પ્રહર પછી અભક્ષ્ય થાય છે, માટે પ્રભાતે મેળવેલું બીજા દિવસની સાંજ સુધી ભક્ષ્ય સમજવું. રાત્રિ પૂર્ણ થતાં ૧૬ પ્રહર પૂર્ણ થઈ જાય, અર્થાત્ બે રાત્રિ પસાર થતાં તે અભક્ષ્ય બને છે, માટે સાંજે મેળવ્યું હોય તો પણ ૧૨ પ્રહર જ એટલે બીજા દિવસની સાંજ સુધી જ વાપરી શકાય. અહીં સોળ પ્રહરનો અર્થ મેળવણ નાખ્યું ત્યારથી તે ૧૬ પ્રહર સુધી-એમ સમજવાનો નથી. મેળવણ ગમે ત્યારે નાખ્યું હોય, તો પણ તે દિવસના પૂરા ચાર પ્રહર, રાત્રિના ચાર પ્રહર, બીજા દિવસના ચાર પ્રહર અને બીજી રાત્રિના ચાર પ્રહર મળી ત્રીજા દિવસના સૂર્યોદય થતાં પહેલાં સોળ પ્રહર પૂરા ગણવાના છે. તેમાં છેલ્લી રાત્રિએ રાત્રિભોજન-દોષ લાગે માટે મેળવ્યું તેના બીજા દિવસની સાંજ સુધી જ તે વાપરી શકાય અને ત્રીજા દિવસના સૂર્યોદય પહેલાં તેની છાશ-વલોણું કરી નાખવું જોઈએ. તેની બનેલી છાશનો કાળ પણ એ જ રીતિએ સોળ પ્રહરનો ગણવો. દૂધનો સામાન્ય રીતિએ ચાર પ્રહરનો કાળ છે, તો પણ સાંજના દોહેલા દૂધમાં મધ્યરાત્રિ પહેલાં મેળવણ નાંખી દેવું જોઈએ. વ્યાપારીઓ દૂધમાં પણ વાસી દૂધ કે આરારૂટ નામનો લોટ જેવો પદાર્થ ભેળવીને વેચે છે, જે અભક્ષ્ય છે. ઘી-ધીનો સ્વાદ વગેરે બદલાઈ કડવું બની જાય. ખોરું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org