________________
સંબોધ પ્રકરણ
તેમાંથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલી કમસ્થિતિ ઘટે ત્યારે જીવ ગ્રંથિસ્થાને આવ્યો કહેવાય. આટલી કર્મસ્થિતિને ગ્રંથિસ્થાન એટલા માટે કહેવામાં આવે છે કે અહીં જ આવેલો જીવ ગ્રંથિભેદ કરવા સમર્થ બને છે. આનાથી વધારે કર્મસ્થિતિ હોય તો ગ્રંથિભેદ કરી શકાતો નથી. અલબત્ત, અહીં આવેલા બધા જ જીવો ગ્રંથિભેદ કરે જ, એવો નિયમ નથી. પણ અહીં આવ્યા વિના ગ્રંથિભેદ ન જ થાય એવો નિયમ છે.
સમ્યક્ત્વની પ્રાપ્તિની પ્રક્રિયાને સમજવા ત્રણ કરણને સમજવાની જરૂર છે. યથાપ્રવૃત્તિ, અપૂર્વ અને અનિવૃત્તિ એમ ત્રણ કરણ છે. કરણ એટલે જીવનો પરિણામ અધ્યવસાય.' ગ્રંથિ ( ગ્રંથિદેશ) સુધી પહેલું યથાપ્રવૃત્તિકરણ, ગ્રંથિને ભેદતાં બીજું અપૂર્વકરણ, જીવ સમ્યકત્વાભિમુખ બને ત્યારે (ગ્રંથિભેદ થયા પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી) ત્રીજું અનિવૃત્તિકરણ હોય.
યથાપ્રવૃત્તિકરણ– પૂર્વે કહ્યું તેમ જીવ યથાપ્રવૃત્તિકરણથી સાત કર્મોની સ્થિતિ ઘટાડતાં ઘટાડતાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ઓછી એક કડાકોડિ સાગરોપમ જેટલી કરીને ગ્રંથિસ્થાને આવે છે. જીવને આટલી કર્મસ્થિતિ સુધી પહોંચાડ્યો એ જ યથાપ્રવૃત્તિકરણનું કાર્ય છે. અહીંથી આગળ વધવા પુરુષાર્થ કરવો પડે છે. આનાથી એ સિદ્ધ થયું કે જીવ પુરુષાર્થ વિના જ તેવી ભવિતવ્યતા આદિના બળે આટલી અવસ્થા (દેશોન એકકોડાકડિસાગરોપમસ્થિતિ) સુધી પહોંચી શકે છે. અહીંથી આગળ વધવા પુરુષાર્થ કરવો પડે છે. પુરુષાર્થ વિના આગળ ન વધી શકાય. જે જીવ અહીં આવ્યા પછી પુરુષાર્થ ન કરી શકે તે જીવ ગ્રંથિસ્થાને જ ઘણા સમય સુધી રહે કે પાછો હટી જાય, અર્થાત્ ફરી કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધે.
અપૂર્વકરણ– અપૂર્વકરણ એટલે અપૂર્વ વર્ષોલ્લાસ. તેનું અપૂર્વ એવું નામ સાર્થક છે. અપૂર્વ-પૂર્વે કદી ન થયું હોય તેવું. જ્યારે રાગ-દ્વેષની ૧. વિશેષાવશ્યક ભાષ્ય-૧૨૦૨ ૨. વિશેષાવશ્યક ભાષ્ય-૧૨૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org