________________
૧૧૧
શ્રાવક પ્રતિમા અધિકાર સામાન્યતઃ માતા, પિતા, વિદ્યાગુરુ વગેરેને પણ ગુરુ કહ્યા છે, છતાં અહીં અધિકાર ધર્મગુરુનો હોવાથી શ્રી આચાર્ય ભગવંત આદિ ધર્મગુરુઓની સેવા કરનારો, એમ સમજવું.
૬. પ્રવચનકુશલ– સિદ્ધાંત સમજવામાં કુશળ'. આ લક્ષણના છે પ્રકારો છે. ફિ હે મતદી, ૩-a-બ-વવા जो कुसलत्तं पत्तो, पवयणकुसलो तओ छद्धा ॥ ५२ ॥
(થરતા, મા ૧૨) ભાવાર્થ- સૂત્ર, અર્થ વગેરે છ વિષયોમાં કુશળ ભાવ શ્રાવકને પ્રવચનકુશળ કહ્યો છે. તેમાં ૧. સૂત્રકુશલ– જે કાળે શ્રાવકને ઉચિત જે જે મૂળ સૂત્રો વગેરે ભણવાનો અધિકાર હોય, તે સૂત્રાદિને ગુરુ પાસે વિધિપૂર્વક ભણેલો. ૨. અર્થકુશલ– સંવેગી એવા ગીતાર્થ ગુરુઓ પાસે સૂત્રોના અર્થો (વ્યાખ્યાનો) સાંભળીને અર્થના જ્ઞાનમાં નિપુણ બનેલો. ૩-૪. ઉત્સર્ગ-અપવાદકુશલ– અહીં ઉત્સર્ગ એટલે સર્વસામાન્ય મુખ્ય માર્ગ અને અપવાદ એટલે તથાવિધ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પુરુષાદિને ઉદેશીને કારણિક માર્ગ આ બે માર્ગોમાં પ્રવીણ હોય તે શ્રાવક કેવળ ઉત્સર્ગ કે કેવળ અપવાદને નહિ સેવતાં, જ્યારે કારણ ન હોય ત્યારે ઉત્સર્ગ માર્ગે ચાલે અને દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિ તથાવિધ કારણો ઉપસ્થિત થયે અપવાદનું આલંબન લઈને પણ પોતાના દાનાદિ ધર્મો કે વ્રતાદિનું પાલન કરે. ઉદાહરણ તરીકે ઉત્સર્ગ માર્ગે સાધુને નિર્દોષ આહારાદિ - વહોરાવવામાં શ્રાવકને ઘણો લાભ કહ્યો છે માટે તેવાં નિર્દોષ આહારાદિ જ વહોરાવે, પણ માંદગી હોય કે આહારાદિ ન મળતાં હોય તેવા પ્રસંગે આધાકર્મી આદિ દોષિત વસ્તુ પણ વાપરવાનું વિધાન છે, એમ જાણતો હોવાથી તેવા સમયે તેવાં દોષિત આહારાદિ પણ વહોરાવે; પરંતુ એમ ન વિચારે કે દોષિત કેમ વહોરાવી શકાય ? વગેરે. ૫. ભાવકુશલ– વિધિપૂર્વક ધર્મ-અનુષ્ઠાનો કરવામાં કુશલ, વિધિનો જાણ, સ્વયં વિધિમાં આદરવાળો, બીજા વિધિપૂર્વક કરનારાઓનું બહુમાન કરનારો અને પોતે સામગ્રીના અભાવે ન કરી શકે તો પણ વિધિપૂર્વક કરવાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org