________________
૧૦૮
- સંબોધ પ્રકરણ અંગીકાર કરેલાં વ્રતો વગેરેને સંપૂર્ણ પાળનારો. એ ચાર પ્રકારો પહેલા લક્ષણના જાણવા.
૨. શીલવંત- “સદાચારી'. ભાવશ્રાવકના આ બીજા લક્ષણના છ પ્રકારો છે.
आययणं खु निसेवई, वज्जई परगेहपविसणमकज्जे । निच्चमणुब्भडवेसो, न भणई सवियारवयणाई ॥ ३७॥ .. परिहरई बालकोलं, साहई कज्जाई महुरनीईए । . इय छव्विहसीलजुओ, विन्नेओ सीलवंतोऽत्थ ॥ ३८ ॥
(ઘર્મરત્નuo રૂ૭-૨૮) ભાવાર્થ– ૧. આયતનસેવી- આયતન એટલે ધર્મીઓએ મળવાનું સ્થાન, કહ્યું છે કેजत्थ साहम्मिआ बहवे, सीलवंता बहुस्सुआ।, चरित्तायारसंपन्ना, आययणं तं विआणाहि ॥ १ ॥
જ્યાં શીલવંત (સદાચારી), બહુશ્રુત (જ્ઞાની) અને સુંદર દેશવિરતિ આદિ ચારિત્રને પાળનારા ઘણા સાધર્મિકો ભેગા થતા) હોય, તેવાં (ઉપાશ્રય, ધર્મશાળા વગેરે) સ્થાનકોને “આયતન' કહેવાય છે.”
આવા આયતનને સેવનારો, અર્થાતુ ધર્મની હાનિ થાય તેવાં અનાયતનોને છોડી જ્યાં ઉત્તમ સાધર્મિકોનો યોગ મળે ત્યાં ઘણો સમય રહેનારો. ૨. કારણ વિના પર ઘેર નહિ જનારો– “સદાચારીઓને કારણ વિના જેના તેના ઘેર જવું તે સદાચારમાં સુદર્શન શેઠની જેમ કલંકનું કારણ (તથા લઘુતા કરનાર) છે–એમ સમજી વિના કારણે જ્યાં-ત્યાં નહિ ફરનારો. ૩. ઉદ્ભટવેષરહિત– “ધર્મી આત્મા શાંત પ્રકૃતિવાળો હોય, તેથી તેને ઉદ્ભટ વેષ શોભે નહિ—એમ સમજી દેશાચાર-કુલાચાર પ્રમાણે પોતાના વૈભવને શોભે તેવો સાદો પોષાક પહેરનારો. ૪. અસભ્ય વચન નહિ બોલનારો— વિકારી વચનો પ્રાયઃ કામવિકારને પેદા કરતાં હોવાથી અસભ્ય-વિકારજનક વાતો કે ગલીચ શબ્દો નહિ બોલનારો. ૫. બાલક્રિડા નહિ કરનારો- જુગાર વગેરે વ્યસનો કે બાળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org