________________
શ્રાવક પ્રતિમા અધિકાર
૧૦૭ सत्येतस्मिन् गुणैः सञ्जाते भावश्रावकत्वे । તસ્ય પુનર્નાન્યતાનિ મળતિ તાથ: I હર I ... . ૨૦૭૭
ગાથાર્થ જ્ઞાનપૂર્વક પ્રત્યાખ્યાન થયે છતે ગુણોથી ભાવ શ્રાવકપણું થાય છે. ભાવ શ્રાવકપણાનાં લક્ષણો ગીતાર્થ આ =હવેની ગાથાઓમાં કહેવાશે તે) કહે છે. (૨)
कयवयधम्मो १ तह सीलवं २ गुणवं च ३ उज्जुववहारी ४ । गुरुसुस्सूसो ५ पवयणकुसलो ६ खलु सावगो भावे ॥७३ ॥ कृतव्रतकर्मा तथा शीलवांश्च गुणवांश्च ऋजुव्यवहारी ।
શુકૂપ: અવનરાત: વ7 શ્રાવકો માવે 1 રૂ ૨૦૭૮ ગાથાર્થ કૃતવ્રતકર્મા, શીલવાન, ગુણવાન, ઋજુવ્યવહારી, ગુરુશુશ્રુષ અને પ્રવચનકુશલ શ્રાવક એ ભાવશ્રાવક છે.
વિશેષાર્થ– “૧. કૃતવ્રતકર્મા, ૨. શીલવંત, ૩. ગુણવંત, ૪. ઋજુવ્યવહારી, ૫. ગુરુશુશ્રુષક અને ૬. પ્રવચનકુશલ–એમ ભાવશ્રાવકનાં મુખ્ય છ લક્ષણો છે.” તેનું તેના પેટાભેદપૂર્વક સ્વરૂપ આ પ્રમાણે છે
૧. કતવ્રતકર્મા– એટલે “વ્રતધારી'. ભાવશ્રાવકના આ પહેલા લક્ષણનાં ચાર પ્રકારો નીચે પ્રમાણે જાણવા. तत्थायन्नणजाणण-गिण्हणपैडिसेवणेसु उज्जुत्तो । कयवयकम्मो चउहा, भावत्थो तस्स इमो होइ ॥ ३४ ॥
(મંત્રક, રૂ૪) ભાવાર્થ- ૧. ધર્મ સાંભળવામાં ઉદ્યમી- અર્થાત “સમ્યક્ત્વ-વ્રતો' વગેરે જે ગુણો પોતે અંગીકાર કર્યા હોય કે કરવાના હોય, તેનું વર્ણન વિનય-બહુમાનપૂર્વક હંમેશાં ગીતાર્થ ગુરુ પાસે સાંભળે. ૨. જાણકારસાંભળેલા તે વ્રતાદિના ભેદો, ભાંગાઓ અને અતિચારો વગેરેને બરાબર સમજવાવાળો. ૩. વ્રત ગ્રહણ કરનારો- સમજાયેલાં તે વ્રતો વગેરેને વિધિપૂર્વક દેવ, ગુરુ આદિની સાક્ષીએ માવજીવ માટે કે અમુક કાળ માટે સ્વીકારનારો. અને ૪. પાળનારો- રોગાદિ આતંકો કે દેવાદિના ઉપસર્ગોમાં પણ સત્ત્વથી ચલાયમાન ન થતાં સ્થિરતાપૂર્વક તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org