________________
શ્રાવક પ્રતિમા અધિકાર
૧૦૩ ગાથાર્થ– પરમાત્માના રૂપી શરીરરૂપ દ્રવ્યની (=દ્રવ્યનિપાની) પૂજા ભવ્ય જીવોના કર્મોનો નાશ કરનારી છે. આરંભમાં પ્રવૃત્તિરૂપ દોષ લાગતો નથી, તથા સમ્યકત્વની શુદ્ધિ કરનારી છે. (૬૩)
जस्स य सुद्धो भावो, णिक्खेवो तत्थ तं सुहयबंधं । अत्तट्ठपटुमुभयमिंदियरागेहि पडिबंधं ॥६४॥ यस्य च शुद्धो भावो निक्षेपस्तत्र तद् सुखदबन्धम् । આત્માર્થપર્થમુખયાર્થિિન્દ્રય પ્રતિવર્ધમ્ II ૬૪ II ૨૦૬૨, ગાથાર્થ– જેનો ભાવ નિક્ષેપો શુદ્ધ છે તેનું દ્રવ્ય =દ્રવ્યની પૂજા) સ્વ માટે, પર માટે અને સ્વપર ઉભય માટે સુખ આપનારા કર્મોનો બંધ કરાવે છે, અને ઇન્દ્રિયોના વિવિધ રાગોનો પ્રતિબંધ કરે છે. (૬૪) निक्खेवासुद्धं जं, तदद्रुमुच्चावरेहि तं भयणा। सागारमणागारं, जह वुत्तं तं निरवहेज्जा ॥६५॥ निक्षेपाशुद्धं यत् तदर्थमुच्चापराभ्यां तद् भजना। સારમનાર યથ વૃત્ત ત નિવહેલ્ ા દૂધ II ૨૦૭૦
ગાથાર્થ– જે જીવ ભાવનિપાથી અશુદ્ધ છે તેની પૂજા કરવામાં ઉચ્ચ અને સામાન્ય પુરુષની અપેક્ષાએ વિકલ્પ છે. અપવાદ સહિત કે અપવાદ વિના જે રીતે પ્રત્યાખ્યાન થયું ( કર્યું) હોય તે રીતે તે પચ્ચકખાણનો નિર્વાહ કરે પાલન કરે.
વિશેષાર્થ– કોઈ શ્રાવક આગાર સહિત સમ્યક્ત્વ ઉચ્ચરે અને તેમાં . મિથ્યાદષ્ટિ રાજા વગેરે મોટા માણસની પૂજા કરવી પડે તેની છૂટ રાખી
હોય તો રાજા વગેરે વિદ્યમાન હોય ત્યારે તેની કે મૃત્યુ પામે ત્યારે તેના મૃતક શરીરરૂપ દ્રવ્યની પૂજા કરવી પડે તો કરે. છૂટ ન રાખી હોય તો ન કરે. માટે અહીં કહ્યું કે અપવાદ સહિત કે અપવાદ વિના જે રીતે પ્રત્યાખ્યાન થયું હોય તે રીતે તે પચ્ચકખાણનો નિર્વાહ કરે. તથા કોઈ સામાન્ય માણસ હોય તો તેની પણ તેવા સંયોગોમાં પૂજા કરવાનો પ્રસંગ આવી જાય ત્યારે પૂજા કરવાથી બચી શકાતું હોય તો બચે. બચી ન શકાતું હોય તો પ્રત્યાખ્યાન પ્રમાણે યથાયોગ્ય કરે. (૬૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org